________________
ના ‘રાયણ ઋષભ સમેસર્યા સ્વામી,
પૂર્વ નવ્વાણું વારે રે– ધન્ય ભાગ્ય હમારા.” ગ એક પૂર્વ એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ. * પૂર્વ ૯૯ વાર એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ ૪ ૯૯ (આશ્ચર્ય ન પામતા–“ઉત્સર્પિણ કાળ” માં આવું હાય.)
અમદાવાદમાં પણ દિલ્હી દરવાજા બહાર, સુપ્રસિદ્ધ શ્રી હઠિસીંગના દેરાસરમાં, આ દિવસે બપોરે, રથયાત્રા કઢાય છે અને સેંકડો માણસે તેનો લાભ લે છે.
શ્રી શાહ સાહેબના જન્મની અંગ્રેજી તારિખ જોઈએ તે તે પણ પાછળથી મો. ક. ગાંધીજીના ગુજરાતના એક ઐતિહાસિક બનાવ સાથે જોડાયેલી છેઃ ૧૯૧૬ ના માર્ચની બારમી તારિખ (હે જિજ્ઞાસુ પાઠક : આ ઘટના તે ખબર છે ને-૧૨ મી માર્ચે અસલ “દાંડી કુચ થયેલી. દાંડી તણું કિનારે, મોહન મીઠું પકાવે.” અને હમણાં થોડા સમય પહેલાં માજી વ. પ્ર. શ્રી રા. ગાંધીએ આજ દિવસે નકલી દાંડી કુચ કાઢેલી.)
શ્રી શાહનું પ્રાથમિક શિક્ષણ ખાડિયા, મ્યુનિસિપલ શાળા નં. ૫ માં થયેલું. તે વખતમાં શિક્ષકે નિષ્ઠાવાળા હતા અને લગભગ બધા વિદ્યાથીઓ મ્યુનિ. શાળાઓમાં ગુજરાતી બાળપોથીથી ચાર ધોરણ સુધી અભ્યાસ કરતાં. ચાર વરસમાં શાળાનું મકાન (૧) શામળાની પોળના નાકે “સાહેબ”ના મકાનમાં (૨) હનુમાનજી સામેના મોટા મકાનમાં, અને (૩) બંધારાના ખાંચામાં બદલાયેલું –હાલમાં પણ ન. ૫ ની શાળા આ ખાંચામાં મ્યુ. ના મકાનમાં. બેસે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org