________________
સ્થાનાંગ સૂત્ર
એક સ્થાન ૨ સુઈ ને સાક! તે માવા વનવવાથું- (શ્રી સુધર્મા સ્વામી જબૂસ્વામીને કહે છે કે,
આયુષ્યમાન શિષ્ય! મેં સાંભળ્યું છે ભગવાન
મહાવીર આ પ્રમાણે કહેતા હતા. २ एगे आया.
આત્મા એક છે. ३ एगे दंडे.
દંડ એક છે જેના વડે આત્માને સારરહિત કરવામાં આવે અથવા આત્મા જે ક્રિયાથી દંડિત થાય
અર્થાત્ જ્ઞાનાદિ ગુણહીન હોય તે દંડ છે.) ४ एगा किरिया.
કરવું તે કિયા તે કિયા એક છે. ५ एगे लोए. ६ एगे अलोए.
કેવળ જ્ઞાન વડે જેનું અવલોકન થાય તે લેક તે એક છે આ લોક ધર્માસ્તિકાય-અધમસ્તિકાય આદિ સકળ દ્રવ્યના આધારભૂત આકાશવિશેષ છે. લકથી વિપરીત અલેક છે. તે અલેક એક છે.
તે અનંત આકાશ રૂપ છે. ७ एगे धम्मे. ८ एगे अधम्मे.
પ્રદેશની અપેક્ષાએ, અસંખ્યાત પ્રદેશાત્મક હવા છતાં પણ દ્રવ્યરૂપે તેને એકત્વ હોવાથી ધર્માસ્તિકાય એક છે. ધર્મથી વિપરીત અધર્મદ્રવ્ય તે અધર્માસ્તિકાય
એક છે. ९ एगे बंधे. १० एगे मोक्खे.
કષાયપૂર્વક કર્મ પુદગલોને ગ્રહણ કરવામાં રૂપ બંધ એક છે. આત્માનું કર્મ પગલેથી સર્વથા મુકત થવું તે
મોક્ષ એક છે. ११ एगे पुण्णे. १२ एगे पावे.
શુભ કર્મ રૂપ પ્રકૃતિએ પુણ્યરૂપ છે, તે પુણ્ય એક છે. અશુભ કર્મપ્રકૃતિઓ પાપરૂપ છે, તે પાપ એક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org