SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજ્ય ગિરિરાજ દર્શન પેઢીનું બંધારણ પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં દેશભરના સંઘના પ્રતિનિધિઓને નિમંત્રણ આપીને, અમદાવાદમાં નગરશેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈના અધ્યક્ષપદે ઘડવામાં આવ્યું હતું. એમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને એમના વારસાએ બનાવેલી શ્રીસંઘની તથા શ્રીશત્રુંજય તીર્થની સેવા પ્રત્યે શ્રીસંઘની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા માટે, પેઢીનું પ્રમુખપદ એમના વારસ જ શુભાવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પેઢીના પ્રમુખ શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રમુખ ગણાય છે, તેથી આ પદ વિશેષ ગૌરવભર્યું લે છે. આ બંધારણમાં ૩૨ વર્ષ બાઢ, સને ૧૯૧૨માં નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈને પ્રમુખપદે, કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા, પણ એ વખતે પણ પિટીનું એટલે કે સકળ શ્રીસંઘનું પ્રમુખપદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજને આપવાની આ કલમ ચાલુ રાખવામાં આવી હતી. પેઢીના બંધારણમાં છેલ્લે છેલ્લે સને ૧૯૬૯ની સાલમાં ફેરફાર કરીને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપણું નીચે, નિયમાવલી ઘડવામાં આવી ત્યારે, પ્રમુખપદ અંગેની કલમમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફાર પ્રમાણે હવે પેઢીનું પ્રમુખપદ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજના બદલે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ નક્કી કરે એમને આપવાનું ઠરાવવામાં આવ્યું છે, અને પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓમાંના એક શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ હોય એવો હક એમને આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવયે કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના સંચાલક મહાનુભાવોની સમયજ્ઞતા તથા દૂરદેશનું પ્રતિબિંબ પડે છે, એ કહેવાની જરૂર નથી. કશ્રીસમેતશિખરજી શેઠ આ. કના વહીવટને પ્રસંગ લીધો છે. આથી શ્રી સમેતશિખરજીની કઈ એ સંપૂર્ણ વિગત કશામાં આપી નથી તે આપવાની આવશ્યકતા માની અત્રે સત્ય સ્વરુપે આપીએ છીએ. શ્રીસમેતશિખરજીના પહાડ પર વિ. સં. ૧૯૬૪ માં ગવર્નમેન્ટ બંગલા બાંધવાની હતી. આ વખતે પરમ તારક ગુરુદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન હતા અને વ્યાખ્યાનમાં સુદર્શન શેઠનું ચરિત્ર ચાલતું હતું. એક બાજુએ “ગવર્નમેન્ટ શ્રીમાનું તિલકને ગિરફતાર કર્યા હતા. આથી ત્રણ વાત ભેગી થઈ (૧) સુદર્શન શેઠને રાજાએ શૂળીએ ચઢાવવાને અન્યાયી હુકમ કર્યો (૨) ગવર્નમેન્ટ શ્રીમાનું લોકમાન્ય તિલકને ગિરફતાર કર્યો અને (૩) શ્રીસમેતશિખરજી પર બંગલા બાંધવા. આ ત્રણ વાતને ભેગી કરીને ગુરૂદેવશ્રીએ વ્યાખ્યાનમાં પડકાર શરૂ કર્યો. *આ લખાણ લેખકનું છે. (૧૬) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy