________________
પ્રકરણ ૯ સુ
ગિરિરાજની પાયગા
પાયગા એટલે પર્વત પર ચડવા અને ઊતરવાના રસ્તાએ.
શ્રીઆદીશ્વર ભગવાનના સમયમાં શ્રીઆદિત્યપુર( આતપુર )થી ઉપર ચડવાની પાયગા હતી, વર્તમાન સમયમાં એને ઘેટીની પાયગા કહે છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પૈકી શત્રુંજય નદીથી નાહીને ચડવાની પાયગા, પાદલિપ્તપુર( પાલીતાણા )થી ચડવાની જયતલાટીવાળી પાયગા, રાહીશાડાની પાયગા અને ઘનધાળની પાયગા છે.
ઘેટીની પાયગા અને રેહીશાડાની પાયગા વચ્ચે ચાક તરફથી આવવાની ઘનધાળની પાયગા છે. એ દિશામાં રહેનારાએ હજુયે યાત્રાના મુખ્ય દિવસેામાં આને ઉપયાગ કરે છે. મારા પરમ તારક ગુરૂદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એને વિશે ઉલ્લેખ કરતા હતા. અત્યારે જાણવા મળ્યુ' છે કે તેને ઘનધાળની પાયગા કહે છે.
ઘેટીની પાયગા આતપુર નજીક છે. ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે, ત્યાં યાત્રાળુ ચૈત્યવંદન કરીને ગિરિરાજ પર ચડે છે. ઉપર ચડતી વખતે લગભગ અડધે રસ્તે
(૧૮૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org