SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ચંદ્ર સૂરજ સમક્તિધરા, સેવ કરે શુભચિત છે તે તીર્થેશ્વર પ્રણમયે, “પુષ્પદંત વિદિત ૧૦૧ખમાળા (૧૫) સમ્યકૃત્વને ધારણ કરનારા ચંદ્રમા અને સૂરજ શુભચિત્તથી આ ગિરિની સેવા કરે છે. તેથી આ ગિરિનું પુષ્પદંતએવું નામ પ્રસિદ્ધ છે, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન હે. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ . તે તીર્થેશ્વર પ્રણમયે, “મહાપદ્ય” સુવલિાસ ૧૦૨ાખમાબે (૧૬) કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે અને બન્નેને છેડીને ઉપર જુદું રહે છે, એ જ રીતે આ ગિરિના સેવનથી ભવ્ય ભવજલથી તરી જાય છે. તેથી આ ગિરિને “મહાપદ્ય ઉપમા આપી છે, આવા આ તીર્થેશ્વરને પ્રણામ હો ૧૨ ભૂમિધર જે ગિરિવરે, ઉદધિ ન લોપે લીહ ! તે તથેશ્વર પ્રણમીયે, પૃથ્વી પીઠ અનીહ ૧૦૩ખમાબે (૧૭) પર્વત અને સમુદ્રો જે પિતાની મર્યાદાને ઓળંગતા નથી, તે ખરેખર આ ગિરિને પ્રતાપ છે, આથી એનું નામ “પૃથ્વીપ' એવું પડેલું છે, તેવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. ૧૦૩ મંગળ સવિ મલવા તણું, પીઠ એહ અભિરામ તે તીર્થેશ્વર પ્રણમીયે, “ભદ્રપીઠ જશ નામ ૧૦જાખમાબે (૧૮) સર્વ વસ્તુને મેળવવા માટે એક સ્થાન જોઈએ, આવું એક સ્થાનરૂપ પીઠ આ ગિરિવર છે. અને મોક્ષ સુધીનું બધું મેળવી આપે છે, તેથી આ ગિરિ “ભદ્રપીઠ એવા નામે પણ ઓળખાય છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ હો ૧૦૪ મૂળ જસ પાતાલમાં, રત્નમય મહાર તે તથેશ્વર પ્રણયે, પાતાલમૂળ વિચાર ૧૦પાખમાબા (૧૯) આ ગિરિવરનું મૂળ પાતાલમાં ગયેલું છે. આ ગિરિ રત્નમય મનોહર છે. આથી આ ગિરિરાજ “પાતાલમૂળ” નામથી સંબોધાય છે. આવા આ તીર્થરાજને હે ભવ્ય ! અમે નમન કરીએ છીએ. ૧૦૫ ૧૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy