SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શુક નામના તાપસ હતા, તેમને સંજોગ મળતાં આ તીર્થે પધાર્યા અને ભાવનાના પ્રાબલ્યથી એક હજાર સાધુઓની સાથે શિવનગરીને-મોક્ષને પામ્યા, માટે મોક્ષને પોષક એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ પપા સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, અંગે ધરી ઉત્સાહ પદાખમાવો સેલગસૂરિ જરાક શિથિલતાને પામ્યા હતા પણ અપૂર્વ સંજોગો મળતાં આત્મામાં ઉત્સાહ લાવીને પાંચસે મુનિઓ સાથે આ ગિરિપર શિવનાથ થયા-મોક્ષે ગયા, આવા આ તથેશ્વરને ઉત્સાહ પૂર્વક નમસ્કાર થાવ છેપદા ઈમ બહુ સિધ્યા ઈણગિરિ, કહેતાં નાવે પાર તે તીથેશ્વર પ્રણમીયે, શાસ્ત્ર માંહે અધિકાર પછાખમા આવી રીતે ઘણાએ ક્ષે ગયાને અધિકાર શાસ્ત્રમાં કહે છે કે જે કહેતાં પાર પણ ન આવે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૭ બીજ ઈહાં સમકિતતણું, રોપે આતમ ભેમ તે તથેશ્વર પ્રણમીયે, ટાલે પાતક સ્તમ પદાખમાવા આ ગિરિરાજની આરાધના કરનારે ભવ્ય પ્રાણુ આત્માની અંદર સમ્યકત્વનું બીજ રેપે છે, અને પાતકના સમુદાયને ટાળે છે, તેથી આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ૫૮ બ્રહ્મ-સ્ત્રી-ભૂણ-ગે હત્યા, પાપે ભારિત જેહા તે તીર્થેશ્વર પ્રણમી, પહોતાં શિવપુર ગેહ ૫લાખમાશે બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યાના પાપથી પાપના ભારવાળા જે થયા હતા, તેવા પણ આ તીર્થની આરાધના કરીને શિવપુરમાં પહોંચ્યા છે, તે આવા આ ગિરિવરને નમન કરો મેપલા જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ તે તીર્થેશ્વર પ્રણમીયે, તીર્થો માંહે ઊઠિ દવાખાને જગતમાં જે બધાં તીર્થો છે તેમાં આના સમાન કેઈ તીર્થ નથી. તેથી સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૬ (૧૭પ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy