________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન
પાછલી બાજુમાં સુરત વગેરે વીશાનિમાનું બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. (કેટલાક લેખકો મહુધાવાળા લખે છે પણ તેમણે તેની ઉપરનો શિલાલેખ વાંચે નથી. તેની ઉપર સુરત વગેરે સંઘના વીસાનિમાયે બંધાવ્યું, તેવો શિલાલેખ મેજૂદ છે.) એક બીજું ચંદ્રપ્રભુનું મંદિર રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલું છે.
નાની સાઈઝનાં ૧૪૫ર ગણધરનાં પગલાં પણ આ ટ્રકમાં છે. આ ટ્રકમાં બધાં મળીને ૩ દહેરાસર પ૧ દેરીઓ છે, બધીમાં મળીને ૪૮૦ પ્રતિમાઓ છે.
માણેકબાઈની દેરી મેદીની ટૂકથી આગળ ઊતરવા માંડતાં ૭૫ પગથીયાં ઊતર્યા પછી એક નાની દેરી આવે છે. તેમાં એક મૂર્તિ છે. તેની દંતકથા એવી કહે છે કે માણેકબાઈ રીસાઈને આવ્યાં. તેની યાદમાં મૂર્તિવાળી આ દેરી બનાવી છે. (ખરેખર આનો પાકો ઈતિહાસ જાણવા મલ્યો નથી.) ત્યાં બાજુમાં અદબદજીનું દહેરાસર આવે છે.
અદ્ભુત શ્રી આદિનાથ અહીંયાં વિશાળ ખંડ છે અને આગળ ઢાંકેલે ચોક છે. ખંડમાં પહાડના પથ્થરમાં કેરેલી વિશાળકાય શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮ ફુટ છે. અને પહેલાઈ ૧૪ ફુટ છે. વિશાલ કાય પ્રતિમા હેવાથી અદબદજી એમ બેલાય છે. આ મંદિર અને પ્રતિમાજી ધર્મદાસ શેઠે સં. ૧૬૮૬માં કરાવી છે. તેને શિલાલેખ તેની દીવાલ પર લગાવે છે. મનને ડોળાવી નાખે એવી આશ્ચર્યકારી રમ્ય આ પ્રતિમા છે. જૂની ચૈત્યપરિપાટીઓમાં સ્વયંભુ આદિનાથ અને અદભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ થાય છે. વિધિવિધાનથી તેને પૂજનિક બનાવી છે. કેટલાક અણસમજુ મનુષ્યો અને ભીમનું મંદિર કહેતા હતા પણ મુનીમ ગિરધરલાલ બાબુના સમયમાં પ્રતિમાની પખાલપૂજા અને નવઅંગ પૂજા કરવાને દિવસ દાદાની પ્રતિષ્ઠાનો જ દિવસ (વૈશાખ વદ ૬ને દિવસ) નકકી કર્યો. તે નકકી કરવાથી જે અજ્ઞાનતા હતી તે દૂર કરી. આથી વૈ. વ. ૬ના દિવસે પ્રક્ષાલ, પૂજા અને અંગરચના થાય છે. આ મંદિરની અંદર બેલીએ તે પડશે પડે છે. અહીંયાંના રંગમંડપમાં ઊભા રહીને દાદાના દહેરાસર તરફ જઈએ તે મનને મહેકાવે તેવી સુંદરતા મંદિરોની દેખાય છે.
બાલાવસહી અદબદજીની ટૂકથી બહાર નીકળીને પગથીયાં ઊતરીએ ત્યારે બાલાવસહી આવે છે.
(૧૪૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org