________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સં. ૧૯૨૮માં બંધાવેલું છે. તેના વચલા મુખ્ય મંદિરની સામે પુંડરીક સ્વામિની દેરી છે. આ મંદિર ઉપર નીચે બે ભાગમાં વહેંચાયેલું છે. ચારે બાજુએ દેરીઓ છે. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેતશિખરજી. જમણે હાથે મેરુ. બીજી બાજુ અષ્ટાપદ, બીજી બાજુએ એક રચના છે. વાઘણપોળ તરફ નીકળતાં રાધનપુરવાળા મસાલીયા કુટુંબનું બંધાવેલું પ્રભુનું દેરાસર છે. નીચે રસ્તા પર “કવડયક્ષની દેરી છે.
સંવત ૧૭૯૧માં ભંડારીએ બંધાવેલું ઊંચા ઓટલાવાળું ઘણું પગથિયાવાળું સામળા શ્રીઅમીજરા પાર્શ્વનાથનું મંદિર છે.
તે પછી સં. ૧૭૮૮માં શાહ પ્રેમચંદ રતનજીનું કરાવેલું ચંદ્રપ્રભુસ્વામીનું મંદિર છે. બેગલશાવાળાનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે, તે બહારથી જોતાં ઘર જેવું દેખાય છે, પણ તેની ખૂબી કઈ જુદી છે. અંદર આરસપહાણની સુંદર છત્રી બનાવેલી છે. તેમાં આરસના સિંહાસન પર પાર્શ્વનાથ ભગવાન સુંદર નાજુક છે, તેને આગળ દરવાજે આરસનો છે. તે દરવાજાની બે બાજુએ એટલે એક બાજુએ નંદીશ્વરદ્વીપનો આબેહુબ ચિતાર આરસમાં કરેલો છે. જે બુદ્વીપથી લઈને નંદીશ્વરદ્વીપ સુધીને બધોએ અધિકાર નદીશ્વરદ્વપના ડુંગર વગેરે તેની પર છે. ચૈત્યમાં ભગવાન અતિ બારીક કળાથી બનાવેલ છે. તે પ્રતિમાજી મહારાજ દેખાય તેવા છે. બીજી બાજુએ અષ્ટાપદ પર્વત અને ૨૪ દેરાં રાવણ મંદોદરી ગૌતમ સ્વામી તાપસ ખાઈ વગેરે બધે અધિકાર કર્યો છે. નાજુક કળા કેવી હોય તે આ બે કરણીમાં કરેલું દેખાય છે. આગળ આરસના બે હાથી મનોહર બનાવ્યા છે. નાના મંદિરમાં કેવી કળા થાય તે આમાં બતાવ્યું છે, આગળ દીવાલને સમાન્ય દરવાજો છે.
સં. ૧૮૬લ્માં પાટણના શેઠ ડુંગરસી મીઠાચંદ લાધાનું કરાવેલું શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર છે. સુરતના કેશરીચંદ વહેરાનું બંધાવેલ સંભવનાથ ભગવાનનું મંદિર છે. વળી પાટણના શેઠ મીઠાચંદે કરાવેલું અજિતનાથ ભગવાનનું બીજુ મંદિર છે.
સં. ૧૭૮૮ માં બંધાવેલ શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે. આને ત્રણ ગઢ છે એટલે તે સમવસરણને ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં વાહને, બીજા ગઢમાં તિ'ને ને ત્રીજા ગઢમાં ૧૨ પર્ષદા. છે. મધ્યે સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. કર્તાએ શિલાલેખમાં કોતરાવ્યું છે કે વિશેષાવશ્યકમાં સમવસરણની જે રચના મેં સાંભળી, તેના આધારે આ સમવસરણનું દહેરાસર બાંધ્યું છે. તે સુરતવાળા સેમચંદ કલ્યાણચદે બંધાવેલું છે.
(૧૧૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org