SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સુકેશલ મુનિ અધ્યાના રાજા કીર્તિધર ને સહદેવીના પુત્ર સુકોશલ હતા. ગર્ભસ્થ પુત્રને ગાદી સેપી. રાજાએ દીક્ષા લીધી. ક્રમે પુત્રને ધાવમાતા ઉછેરે છે. તેની પાસેથી પિતાની દિક્ષાની વાત તેણે જાણું. તેથી તેણે પણ પિતાની પાસે દીક્ષા લીધી. માતાને પુત્રને વિગ સહન ન થયે. આથી આધ્યાનથી મરણ પામીને પહાડમાં વાઘણ થઈ. એક વખત રાજર્ષિ અને સુકોશલ મુનિ વિહાર કરતા કરતા પહાડ પર આવ્યા. વાઘણે તેમને જોતાં રોષ ઉત્પન્ન થયે. મુનિઓએ જાણ્યું કે વાઘણ ફાડી ખાશે, એટલે તેઓ આરાધનામાં ચઢથા. પુત્ર પર પહેલો હલ્લો કર્યો. ફાડી નાખ્યો. મુનિ અંતગડ કેવલી થઈ મોક્ષે ગયા. તે મુનિને સેનાને દાંત જોતાં પૂર્વ અધિકાર યાદ આવ્યું. આથી કીતિધર મુનિએ તેને ઉપદેશ આપ્યો. વાઘણ અનશન અંગીકાર કરીને દેવ ગતિમાં ગઈ. નમિ-વિનમિ ત્યાંથી આગળ ચાલતાં એક દેરીમાં નમિ વિનમિનાં પગલાં આવે છે. ગષભદેવ ભગવાનના કચ્છના પુત્ર નમિ હતા ને મહાકરછના પુત્ર વિનમિ હતા. કચ્છ મહાકચ્છ ભગવાન સાથે દીક્ષા લીધી હતી. તેમના પુત્ર નમિ વિનમિ બહાર ગયા હતા. તેથી આવ્યા ત્યારે ભરત મહારાજે તેમનું રાજ્ય આપવા માંડયું. તે ન લેતાં પ્રભુ પાસે આવીને પ્રભુની સેવા કરવા લાગ્યા, અને “રાજ્ય આપનાર થાવ', એમ કહેવા લાગ્યા. ભગવાન સાથે જ વિહારમાં રહે છે. ભગવાન કાઉસગે રહે ત્યાં બે બાજુએ બે ચેકીદાર માફક રહે છે. એક વખત ધરણેન્દ્ર ભગવાનને વંદન કરવા આવે છે. નમિ વિનમિની પરીક્ષા કરે છે. ત્યારે જવાબ આવે છે કે “અસ્તિ નાસ્તીતિ કા ચિંતા, કાર્યો સેવૈવ સેવકેઃ ” છે કે નથી તેની ચિંતા શા માટે કરવી, સેવકે તે સેવા જ કરવાની છે.” આ વચનથી ધરણેન્દ્ર પ્રસન્ન થયા. ૧૬ હજાર વિદ્યાઓ અને તાવ્યની દક્ષિણ ઉત્તર શ્રેણીનું રાજ્ય આપ્યું. તે સુખપૂર્વક ત્યાં આવીને નગરે વગેરે વસાવીને રાજ્ય કરે છે. ભરત મહારાજ છ ખંડ જીતવા નીકળ્યા ત્યારે નમિ વિનમિ વિદ્યાધર સાથે યુદ્ધ ચાલ્યું. અંતે નમિ વિનમિ હાર્યા, અને ભારતની આજ્ઞા સ્વીકારી, પણ વૈરાગ્યથી પિતાના પુત્રને રાજ્ય આપીને સંયમ અંગીકાર કર્યું. સંયમની આરાધના કરતા ગિરિરાજ પર પધાર્યા અને અનશન કરીને, ફાગણ સુદ ૧૦ ના બે ક્રોડ મુનિઓ સાથે મે ગયા. (૧૧૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy