SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૭૮ મેં આમ કર્યું છે. અગર મેં આમ કહ્યું છે. એમ નહિ પણ શાસ્ત્ર શું કહે છે, એ વિચારે સઆજે પણ બધાં શાસ્ત્રના નામે જ વાત કરે છે કે અમે જે કહીએ છીએ તે સાચું છે. એવું કહેનારાઓએ, પોતે જે અર્થ કરે છે તે અર્થ આગમથી અબાધિત અર્થ છે, એમ સાબિત કરવું જોઈએ. શાસ્ત્રના નામે વાતે કરવી–એ એક વાત છે; અને, અવસરે પિતાની વાતને શાસ્ત્રાનુસારિણું સાબિત કરવી એ બીજી વાત છે. “મને આમ લાગે છે માટે આ સાચું છે. એવી વિચારણા કદી પણ નહિ આવવી જોઈએ, પણ “શાસ્ત્ર આમ કહે છે માટે આ સાચું છે.—એવી વિચારણા આવવી જોઈએ. દરેક વાતને નિર્ણય, શાસ્ત્રના આધારે કરવું જોઈએ. જરાક પણ લાગે કે “હું માનું છું તે અર્થથી ઊલટી વાત શાસ્ત્રમાં છે.” કે તરત “શાસ્ત્રની વાત જ સાચી. એમ સ્વીકારવું જોઈએ. સવ આજે અંદર અંદર મેળ નથી એટલે શાસનનાં કેટલાંક કાર્યો બરાબર થઈ શકતાં નથી. અંદર અંદર મેળ નથી, એનાં ઘણું કારણ છે; પણ અંદર અંદર મેળ નહિ હોવા છતાં પણ, શાસન સાથે તે મેળ છે કે નહિ? જે જે બાબતે માં જ્યાં જ્યાં જે જે કરવા જેવું હોય, ત્યાં ત્યાં એક બીજા સાથે રહીને, તે તે કામ કરવા માંડે અને ચારેય તરફથી એકસરખે અવાજ નીકળે, તે ઘણે ફેર પડી જાય, - સત્ર એ બાબતમાં સાધુઓએ મળીને કાંઈક કરવું જોઈએ એમ નથી લાગતું? એવું લાગે, એટલા માત્રથી શું વળે? અત્યારની પરિસ્થિતિ વિષે અહ ચાખવટથી કહેવામાં લાભ નથી, માટે કહેતા નથી. અગત્યની પરિસ્થિતિમાં કરવા જેવું ઘણું છે, પણ આજે એકતાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy