SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૭૭ થ જોઈએ. છાપણા આદિને અંગે મારાથી છેટે અર્થ થઈ ગયું હોય, તે મને એને ખ્યાલ આવી જવા પામે તે બહુ સારું, કે જેથી મારાથી થઈ ગયેલા શાસ્ત્રના ઊલટા અર્થ બાબત. હું “મિચ્છામિ દુક્કડ' દઈને, મારા એ પાપને હું ખપાવી શકે ! હું સાચે ત્યાં સુધી, કે જ્યાં સુધી હું ભગવાને જે અર્થ કહ્યો છે, તે અર્થને માનું અને કહ્યું. મારું સાચાપણું ભગવાનને આશ્રિત છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે અને જ્યાં સુધી એ તારકે કહેલું હું કહું ત્યાં સુધી જ હું સાચે છું. માટે એ તારકે કહેલા અર્થથી ઊલટો અર્થ અનુપગથી પણ મારાથી થઈ ગયું હોય, તે તે મારે સુધારી લેવો જોઈએ.” જેનામાં આવી વિચારણું હોય, તે અન્ય શાસ્ત્રવેદિઓની વાતને કેવા પ્રેમથી સાંભળે? અન્ય શાસ્ત્રવેદીઓ એમ કહેતા હોય કે તમે કરેલ અર્થ છેટે છે.” તે તે વખતે એને એમ ન થાય કે- “મારી ભૂલ કાઢનાર તમે કેશુ?” એ તે એવા શાસ્ત્રવેદીઓના કથનને પ્રેમથી સાંભળે અને એને સમ્યફપણે વિચારે. એ વિચારણામાં, પિતાના અર્થનું મમત્વ પિતાને ઊલટી દિશાએ દોરી જાય નહિ, તેની કાળજી રાખે. આટલી સાવચેતી હોય, તે શાસ્ત્રની કઈ વાતનો ઊલટે અર્થ થઈ જાય તેય તે સમ્યકત્વને વમી જાય નહિ. જ્યાં એ મનોવૃત્તિ આવે કે- આ અથ મેં કરેલો છે અગર મેં પકડેલો છે માટે જ સાચે છે ત્યાં સમ્યકત્વ ટકી શકે નહિ, માણસને જ્યારે પોતાની વાતને ચડસ થઈ જાય છે, ત્યારે તે કેટકેટલા અનર્થોને જમાવે છે, તે કહી શકાય નહિ. પછી તો, જેટલી હોશિયારી ને જેટલી લાગવગ, એ બધાને ઉપગ એ પિતે ડુબવામાં અને બીજા વિશ્વાસુઓને ડુબાવવામાં જ કરે. પ્રતિપાદનમાં પક્ષપાત નહિ. આ મિથ્યાત્વની વાત પણ એમ સૂચવે છે કે–સમ્યગ્દષ્ટિ આત્માઓએ, કષાથી ખૂબ જ ચિતતા રહેવું જોઈએ. વિરાગમાં ખામી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy