SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૬૫ તે સમજાય છે? બેય પ્રકારની સામગ્રી પુણ્ય તમને આપી છે, પણ જેના તરફ વધારે ઢાળ, જેના તરફ મનનું ખરેખરું ખેંચાણ, એના ઉપરથી આપણને વસ્તુતઃ શાની કિંમત છે તેનું માપ નીકળી શકે. * આ જન કુળીના રૂઢ આચારો પણ એવા છે કે બીજાઓને જને બહુ સુખી છે-એમ લાગે તમારું મન જે સંસારથી ઉદ્વિગ્ન બનીને ધર્મ તરફ ખેંચાય, તે તમને લાગે કે–અમને બહુ સારી સામગ્રી મળી છે. તમે એવા કુળમાં જન્મ્યા છે કે–દેવ તે વીતરાગ હોય, એવું સાંભળવા મળ્યું. અભક્તિથી બીજે નહિ અને ભક્તિથી રીઝે નહિ.—એવા દેવ, જન્મથી જ તમને મળી ગયા. “ ત્યાગી જ ગુરુ હોય, ઘરબારી ગુરુ હોઈ શકે નહિ.”—એવું તમને વાતવાતમાં સાંભળવા મળે. અને ઈચ્છાએ કે અનિચ્છાએ પણ, તમને સંસારના ત્યાગી ગુરુને વેગ થઈ ગયુ છે. ધર્મ પણ તમને ત્યાગમય, અહિંસામય મળી ગયા છે. આ બધું શાથી મળી ગયું ? તમે જન કુળમાં જન્મી ગયા, એથી જ ને ? આવું કુળ મહા પુણ્ય મળે ને ? હા, તે એ પુણ્યનો આપણને એવું જમી ગયા, એથી આનેહા પુષ્ય મળે ને ઈતર કુળમાં જન્મ્યા હોય, તેને કાં તે દેવ મળ્યા ન હેય ને મળ્યા હોય તેય તે એવા કે એની પાસે જઈને રાગાદિ પિષાય. આપણે ત્યાં કઈ એવું કરે, તે તે ખરાબ કહેવાય. જનનું છોકરુંય કહે કેઅમારા દેવ વીતરાગ. આ ઓછું પુણ્ય છે? વળી, આ કુળમાં આચાર પણ કેવા ? જેન કુળના આચારેને જે માત્ર રૂઢિથી પણ સેવાય, તેય લાખો પાપોથી બચી જવાય. રાત્રે ખાવાનું નહિ, એટલે જે કાળમાં છત્પત્તિ વધારે થાય છે, તેવા કાળમાં ચૂલ સળગે નહિ. જીવદયા પળાય અને શરીર પણ સચવાય. ઈતર કુળમાં, રોજ રાત્રે પણ ચૂલા સળગે ને ? રાત્રે ૧૦–૧૨ વાગે એંઠવાડ નીકળે અથવા આખી રાત એંઠવાડ પડ્યો રહે અને તેમાંય ઊત્પત્તિ થયા કરે. એક રાત્રિભોજન નહિ કરવાના આચારનું પાલન કરવા માત્રથી સ–૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy