SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જ સમ્યગૂદન-૧ પણ, કેટલી જીવહિંસાથી બચી શકાય? પણ આજે આ આચાર જન કુળમાં રૂઢ છે–એમ કહેવાય એવું તે નથી રહ્યું ને ? કુળ જનનું છે–એમ કહેવાતું રહ્યું, પણ જિન કુળને આચાર જીવતે રહ્યો નહિ ને ? એક કાળે જન કુળમાં આ આચાર એટલે બધે રૂઢ હતો કે જેનને ઘરે આવેલો ઈતર પણ “અહીં રાતના ખાવાને નહિ મળે.' એમ સમજી જ જાય. જનેનાં ઘરની પાસે રહેતાં ઇતર કુટુંબની બાઈએ પણ, જૈન બાઈઓને કહેતી કે-“તમારે આચાર બહુ સારો! રાત પડી કે-રડું બંધ. અમારે તે, અત્યારે ધુણી ધખે.” એટલે, આ કુળના આચાર પણ એવા કે-બીજાને એમ થાય કે આ લેકે કેટલા બધા સુખી છે? જેનને ૨૪ કલાકમાં ૧૨ કલાકને ચેખે આરામ, એમ બીજાઓને લાગે ને? આ કુળાચાર જીવતા હોય, તે જેને–ભાઈએ ને બાઈઓ, ધર્મ કેટલો કરી શકે? જનને સવારે નવકારશી ને રાતના ચેવિહાર કરવામાં તકલીફ જેવું લાગે નહિ ને? જેનનું નાનું છોકરુંય રાતના ખાય નહિ. કઈ પૂછે કે–“કેમ?” તે કહે કે-“રાતે ખવાય નહિ. મારી બા, મારા બાપા, મારા ભાઈ રાતે ખાતા નથી. અમુક ખવાય ને અમુક ન ખવાય, એવું જનનું છોકરું નાનપણથી સમજતું હોય. જન જ્યાં જાય ત્યાં, ત્યાગની અસર મૂકી ને આવે. આવા કુળમાં જન્મેલાને મિથ્યાત્વને ધક્કો વાગવે કેટલે સહેલું છે ? બીજાને રાત્રે કેમ ન ખાવું તે સમજાવવું પડે અને એને સમજવું મુશ્કેલ પણ પડે, જ્યારે જૈન કુળનાને એ વાત સંસ્કારરૂઢ થઈ ગયેલી હોય. આ કુળ એવું છે કે–આપોઆપ ઘણાં પાપે બંધ થઈ જાય; ખાન-પાનમાંથી ઘણે વિકાર નીકળી જાય; ઉત્તેજક પદાર્થો ઘણે અંશે બંધ હોય. તમે સમજે તે, તમને હીરે હાથમાં આવી ગયું છે. દેવ, ગુરુ, ધર્મ તમને વગર શાથે પણ સારા મળી ગયા છે. પુષ્ય આટલી બધી સારી સામગ્રી આપી દીધી છે, પણ આને ઓળખવાની ચિતા. કેટલાને છે? આટલું સારું મળ્યું છે, તેય એને ઓળખવાની ચિન્તા નથી, અરકાર નથી, તે તમને જે આ બધું ન મળ્યું છે તે તમે સુદેવ, સુગુરુ અને સુષમને શોધવા નીકળત ખરા? “ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy