SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] સમ્યગદર્શન-૧ બગાડેલા નહિ ! કેઈની ભવિતવ્યતા સારી માટે પરિણામ બગડેલા નહિ અને કઈ એ પ્રયનથી પિતાના પરિણામને બગડવા દીધેલા નહિ. ધર્મક્રિયા કરનારને પરિણામ બગડવાને સંભવ ઓછો છે, પણ એય મનથી અધર્મમાં ખૂચે એ બને; પરન્તુ તમારે તે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ અધર્મના પરિણામથી બચી જવું છે ને ? અધર્મ તજવા જેવો અને એક ધર્મ જ સેવવા જે–એવું લાગ્યા વિના, પરિણામ જળવાય શી રીતિએ ? એ માટે, આપણે તવજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તમે જો સાચા તત્ત્વજ્ઞ બને, તે તમે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ, અધર્મને પરિણામેથી પ્રાયઃ બહુ જ સહેલાઈથી બચી શકે. ધમ કરનારમાં અતિ લોભ આદિ હેય, તે તેથી ધર્મક્રિયાઓની લઘુતા થાય છે : પંચેન્દ્રિય પ્રાણવધ, મહારંભ તથા મહાપરિગ્રહ વગેરેને, તાકાત હોય તે તજી જ દેવાં. આપણું ચાલે તે, આપણે એ સંગથી ખસી જ જવું. એ માટે તે, આપણે ત્યાં સુખી માણસે નિવૃત્તિ લઈને શ્રી સિદ્ધક્ષેત્રમાં રહી જાય અને જેમ બને તેમ પરિગ્રહને ઘટાડવાને માટે પરિગ્રહને સદુપયેગ કરવા માંડે, સાધુય થઈ શકાય નહિ અને આવી નિવૃત્તિ પણ લઈ શકાય નહિ, તેનું કારણ તે તમે વિચાર્યું હશે ને ? સાધુ થવાનું અને સાધુ થવાય નહિ તે નિવૃત્ત થવાનું, મન તે ખરું ને? સાધુ થવાની શક્તિ નથી અને લોભ, મમતા આદિથી નિવૃત્ત થવાનું પણ મન થતું નથી, એમ ખરું? ધારે કે–એવી જ સ્થિતિ અત્યારે છે, તે પણ એ લેભ ને એ મમતા ખટકે છે? તમને બહુ લેભ ને બહુ મમતા ન હોય, તે છતાંય તમારું રથાન એવું છે કે-કદાચ બજારમાં જવું પડે, પણ મનમાં શું છે ? તમે કહી શકે કે-“આ બધું ગમતું નથી, પણ સંગ એવા છે કે-જે હાલ મૂકી દઈએ તે બહુ નુકસાન થઈ જાય તેમ છે; આબરૂ જાય ને આશ્રિત રખડી પડે–એવું છે; પાછલી જિંદગી સુખે જાય નહિ ને સમાધિ ટકે નહિ–એવું છે !” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy