SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર, ૪૯ - આપણે ધર્મક્રિયા કરીએ છીએ, માટે આપણે સદગતિ જ થશે–એમ માનનારે વિચારવું જોઈએ કે- આયુષ્યને બંધ અધર્મ વ્યવહાર કરતી વખતે પડે તે? અને, ધર્મ વ્યવહાર આચરતી વખતે પણ, આત્મા જે કિલષ્ટ પરિણામવાળો બન્યું હશે તે ?” આજે ઘણાઓ કહે છે કે–“બધું સાચું, પણ બજાર વગેરેની વાત જુદી !” આમ ન મનાય. ધર્માધર્મને ખ્યાલ જેમ મંદિર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં જોઈએ અને ધર્મક્રિયાઓ કરતી વખતે જોઈએ તેમ ધર્માધર્મને ખ્યાલ, બજાર, ઘર વગેરે અધર્મનાં સ્થાને માં પણ જોઈએ અને અધર્મની ક્રિયાઓ કરતી વખતે પણ જોઈએ. અધર્મના પરિણામેથી બચે : આયુષ્ય ધર્મસ્થાનમાં બંધાય કે બધે બંધાય? વેપાર કરતાં, ઘર બાંધતાં, ગમે તે પાકિયા કરતાં આયુષ્ય બંધાય કે નહિ ? આયુષ્ય બધી જગ્યાએ અને બધી અવસ્થાઓમાં બંધાય છે, માટે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પરિણામને બગાડે તેવા સંજોગોમાં રહેવું નહિ; અને એમાં રહેવું પડે, તે પરિણામ બગડે નહિ તેની કાળજી રાખવી. તમે સાધુ થઈ શક્તા નથી અને પેઢી–ઘર વગેરે સાચવ્યા વગર છૂટકે નથી, એટલે જે પરિણામને નહિ જાળ, તે આ ડીક ધર્મક્રિયા દુર્ગતિમાં જતાં આડે હાથ દેવાય નહિ આવે. દુર્ગતિથી બચવું હોય અને થયેલ દેવ-ગુરુ-ધર્મને ચાગ છૂટી જવા પામે નહિ–એવી ઈચ્છા હોય, તે ધર્મક્રિયા ઉપર ખૂબ શગ કેળવવું પડશે અને અધર્મ ક્રિયાના રાગ ઉપર અણગમે પેદા કરે પડશે. ભયંકરમાં ભયંકર પણ પાપક્રિયા કરતી વખતે, પરિશામ અધર્મમય બની જાય નહિ તેવી મનોવૃત્તિને કેળવવી પડશે. ચેન્દ્રિય-પ્રાણીવધ, મહારંભ, મહાપરિગ્રહ આદિ નરકનાં કારણેને સેવનારાઓ પણ, નરકમાં નથી ગયાં અને સદ્દગતિને પામ્યો છે, એવા દાખલાઓ છે, પણ તે શાથી? જેવી ક્રિયા તેવા રિણામ હિત, તે તેઓ નિયમાન નરકમાં જાણે, પણ પરિણામને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy