SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] સમ્યગ્દર્શન-૧ ણામને સારા રાખવાના, એવુ' નથી. સાધુને ધમ ચાવીસેય કલાક અને ગૃહસ્થને ધર્મ યથાશક્તિ, પણ ધર્માંના પરિણામ તરફ તા બધાએ બધા વખત લક્ષ્ય રાખવાનુ` ! ધમ એ કરે તેા તે આછા કરવાને માટે નહિ, પણુ ચાવીસેય કલાક ધમ થઈ શકતા નથી, માટે એ આછે સમય ધર્મ કરે છે. ધર્મ કરવાની ભાવના તે, ચેવીસેય કલાકની ! અધર્મ નુ આચરણ કરતાંય ભાવના ધર્મની રાખે. નમળે! છુ' માટે મારે આ કરવું પડે છે; કથારે એ વખત આવે કે—એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ.”—આવી ભાવના તેા હૈયામાં જાગતી બેઠી હોય. ધમસ્થાનામાં ધર્મ કરવાના અને બહાર અધમ કરવામાં વાંધા નહિ, આવી માન્યતા શ્રાવકની ન હોય. અધર્મ કરે ત્યારેય, એ કરવા લાયક નથી અને કરવા લાયક તો ધર્મ જ છે–એમ માને, એમાં પરિણામની જાળવણી છે. જ્ઞાનીઓએ આશય ઉપર બહુ ભાર મૂકો છે, પણ આશયની નિર્માંળતા અને નિર્મૂળ આશયની જાળવણી, અભિવૃદ્ધિ આદિ માટે ધર્મ વ્યવહાર ઉપર આછે ભાર મૂકયેા નથી, એ વાતને નહિ સમજેલા કેટલાકાએ દેશના નિશ્ચયપ્રધાન બનાવી દીધી અને ધર્મવ્યવહારને ભૂલી ગયા. આપણે તા, દેશનાને વ્યવહારપ્રધાન રાખીને, નિશ્ચય તરફ લક્ષ્ય દોરીએ છીએ; કારણ કે—ધર્મવ્યવહાર એ સારા આશયથી જ તારનારે ખની શકે છે. જેના હૈયામાં માક્ષના આશય પ્રગટયા અને ભગવાને કહેલા મેાક્ષમા ની આરા ધના કરવાના આશય પ્રગટયા, તે ધમ સિવાયના વ્યવહાર ન જ કરે--એમ નહિ; પણ એને કરવા ગમે કયા વ્યવહાર ? ધર્મવ્યવહાર ! અધર્મના વ્યવહાર કરવા છતાંય, એ છેડવા જેવા જ લાગે અને ધર્મોના વ્યવહાર ન થાય તાય, કરવા જેવા એ જ છે—એમ થયા કરે. આવા સમજુ માણુસ, અધર્મ વ્યવહાર કરતા હોય તે વખતે પણ, ક્રુતિના આયુષ્યને ઉપજે નહિં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy