SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદશન-૧ આનંદ થાય? કે, અમે કરીએ છીએ તે જ બરાબર છે–એમ થાય ? વેપારીને ત્યાં માલ લેવા આવેલે શું કહે? માલ ગમશે ને ભાવ પિોષાશે તે લઈશ; પણ લેવાની વૃત્તિ તે ખરી ને? એમ, તમે અહીં આવે છે, તે તત્વજ્ઞાનના અથી બનીને આવે છે ને ? અમલ થઈ શકે તેમ ન હોય, તે અમલની વાત પછી, પણ વાત તે ગમે ને ? સમજાશે તે માનીશ ને શક્તિ હશે તે લઈશ”—એવું તમારા મનમાં ખરું કે નહિ ? આવી રીતિએ ખુલ્લા દિલે, ખુલ્લા મગજે તમે રોજ અથ બનીને સાંભળે, તે પાટે બેસનારે તમને સમજાવવાને માટે તરકીબ શોધવી પડે. પણ, તમે કેવળ “હા જી” કરનારા છે, તે શું થાય? તમે કાંઈ સમજે પણ નહિ અને સમજવાનો પ્રયત્નેય કરે નહિ, તે તમને બહુ મોટું નુકસાન થાય. સશ્રાવકે કેટલુંક જાણી શકે? શ્રાવકે ધારે તે બહુ જાણી શકે. તત્ત્વની વાતમાં ભલભલાને છકકડ ખવડાવી દે, એવું તત્ત્વજ્ઞાન શ્રાવકમાં પણ હોઈ શકે. આ શાસન, શ્રાવકેને ધર્મના વિષયમાં ભેઠ રહેવાનું કહેતું જ નથી. શ્રાવકવર્ગમાં તત્ત્વજ્ઞાન તરફ દુર્લક્ષ્ય વધી ગયું, એથી પણ શાસનને તે ઘણું નુકસાન પહોંચ્યું છે. કરાંના પરાકની ચિન્તા થાય છે ? શ્રાવકે ભાવભીરુ હેાય કે નહિ? જે ભવભીરુ નથી, તે વસ્તુતઃ શ્રાવક જ નથી. શ્રાવકને પિતાનાં છોકરાને માટે પણ એમ થાય કે-“આ છોકરો જે તત્ત્વજ્ઞાન ભણ્યા વિના જ પેઢીએ બેસશે, તે આનું થશે શું? આ પાપ ને આ પુણ્ય એવું સમજશે શી રીતિએ ?” તમારા ઘરમાં જન્મેલાં કરાંઓને તમારે દુર્ગતિમાં મોકલવાં ? એના પરલોકની તમને ચિન્તા થાય છે કે નહિ? જેને પરલેકની ચિન્તા જ નથી, તે નાસ્તિક છે. સામાન્ય પણ આસ્તિક તે કહેવાય, કે જેને પરલકને ખ્યાલ હેય. માત્ર પરલેકને ખ્યાલ આવે, તેય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy