SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર માનસ પલટાઈ જાય. ધીરે ધીરે એવું પણ થાય કે-આપ જેટલા ન ગમે, તેટલા ગુરુ ગમે. “આપણું છોકરાં તત્ત્વને જાણ્યા વિના સંસારને. ખેડે છે તે સારું નથી—એમ પણ થાય છે? છોકરાં સંસારને તજી દે તે સૌથી સારું, પણ સંસારમાં રહે તેય ધર્મને ભૂલે નહિ, એટલુંય એમનું હિત તમારે હૈયે વસ્યું છે કે નહિ ? સ, અમને અમારી જ એવી ચિન્તા ન હોય, ત્યાં છોકરાંઓને વિચાર આવે ક્યાંથી? અત્યાર સુધી ચિન્તા નહોતી, પણ હવે તે તમે સમજ્યા ને? "હવે તે તમે સુધરવાના અને છોકરાઓને સુધારવાનો પ્રયત્ન કરવાના, એમ માની લઉં ને ? સવ ડેઘણે પણ પ્રયત્ન તે થશે જ. તમે સમજ્યા છે તે સમજાવવાને વિચાર થાય ને ? આપણને હવે તે મેક્ષિપર્યાય અને સંસારપર્યાયને ખ્યાલ આવી ગયે, માટે આપણે હવેથી આપણું સંસારપર્યાયને કાપવાને અને એક્ષપર્યાયને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે, આ નિર્ણય જે તમે કરી લીધું હશે, તે તમે તમારા કુટુંબીઓના કલ્યાણ માટે પણ બનતું કરવાને પ્રયત્ન કર્યા વિના રહી શકશે નહિ. અત્યાર સુધીમાં, કષા અને ઈન્દ્રિયેના વિજેતા બનીને, અનન્તા આત્માઓએ પોતાના એક્ષપર્યાયને પ્રગટાવ્યું છે. એ બધા, સ્વરૂપરમણતા–રૂપ સુખમાં વિકસે છે. એ સુખ પરિપૂર્ણ પણ છે અને પાછું અનન્તકાળેય જાય એવું પણ નથી. દુખનું નામ નહિ, સુખનો પાર નહિ અને એ સુખેય એવું કે-કદી પણ જાય નહિ. સંસારપર્યાયને અનુભવનારાઓને, ગમે તેટલું સુખ હેય તેમ, દુઃખને સર્વથા અભાવ હોય નહિ; સંસારપર્યાયને અનુભવનારા માં, સુખી બહુ ડા અને દુખી ઘણ; અને, સંસારનું સુખપણ એવું કે-કાં તે એ જાય, કાં તે આપણે જવું પડે. આપણે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy