SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૪૩ સારી પણ સામગ્રી હાથમાં આવી જાય, તેય એને હાથમાંથી સરી જતાં વાર કેટલી ? જેને સંબંધની કિંમત નથી હોતી, તે વ્યવહારમાં કેમ વર્તે છે? સંબંધ ટકો તે ટક, બાકી છોડતાંય વાર નહિ અને જોડતાંય વાર નહિ. તેમ, આ દેવ-ગુરુ-ધર્મને સંબંધ, આપણે કેવક જાળવીએ. છીએ ? આ સંબંધ કેટલે કિંમતી છે–તેનું જ્ઞાન નથી, એટલે, હવે કદી પણ આ સંબંધ છૂટે નહિ એવું કરવાની ઇચ્છા પણ નથી, એમ કહું તે ચાલે ને ? તમને આ દેવ-ગુરુ-ધર્મ સાથે સંબંધ છેડતાં કેટલીક વાર લાગે ? તમારા આ દેવ–ગુર–ધર્મ સાથેના સંબંધને કેઈ તેડાવવા માગે, તે તે સહેલાઈથી તેડાવી શકે ? કે, એને એની ધારણામાં નિરાશ થવું પડે ? ભવાંતરમાંય, આ દેવ–ગુરુ–ધર્મ સાથે સંબંધ બન્યા રહે, એવી ઈચ્છા હોય તે બેલે ! બરચું પતાસામાં હીરો આપી દે–એ બને, કેમ કે–એને પતાસું મોટું ને મીઠું લાગે તેમ, તમે સંસારના સુખના લોભમાં, આ દેવ-ગુરુ–ધર્મની ઉપાસનાને. વટાવી દો ખરા કે નહિ ? સમજાશે તેમ માનીશ અને શક્તિ હશે તે લઈશ : ભગવાનના શાસનના તત્ત્વજ્ઞાનના વિષયમાં તમે અજ્ઞાન છે, એટલે ઉન્માર્ગે ઘસડાઈ જતાં પણ વાર લાગે નહિ ને? તમે જ પૂજા, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, ગુરભક્તિ આદિ કરે છે, છતાં કદી એમ ન થયું કે–તત્ત્વજ્ઞાન વિના ચાલશે કેમ? “સંસારના સુખના રસમાં લીન રહીએ તે પણ આ ક્રિયા મુક્તિ આપશે. એવું માની લીધું છે? તમે જ્ઞાનની બાબતમાં આટલા બધા બેદરકાર કેમ ન છે, એ તે સમજાવે ! શું એકલી કિયાથી મુક્તિ થાય છે, એમમાન્યું છે? શા કહે છે કે-“જ્ઞાનયાખ્યાં મુવિતા” ત્યારે એ શું ખોટું છે ? તમે નથી સમજ્યા, પણ સમજવાને માટેની કોશિશ કરવી. જોઈએ, એમ પણ તમે માને છે કે નહિ? કઈ સમજાવે ત્યારે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy