SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૩૯ વગેરે ઘણું આપી આવેલે, પણ એ બધું વ્યાજમાં જમા થએલું અને વાણિયાએ એક રૂપીઆનું લેણું તે ઊભું ને ઊભું જ રાખેલું. વાણિયે એવો ભી હસે કે-એના રૂપીઆમાં એ કાંઈ પણ ઘટાડે થવા દે નહિ અને રબારી એ અજ્ઞાન હતું કે-વાણિયા જેમ કહે તેમ માની લે અને દેવું કબૂલ રાખે. પણ, રબારી આ વાણિયાના દેવાથી કંટાળી ગયેલે. ગમે તેટલું આપે તેય વ્યાજમાં હિજમ થઈ જાય અને દેવું ઊભું રહે, તે કંટાળો તો આવે ને ? અજ્ઞાન માણસને આવો લાભ, તમે તે ન જ ઉઠાવે ને ? તમારી સાથે જેને લેવડ–દેવડ હોય, તે જે અજ્ઞાની હોય, તો તમે શું કરો ? ઠીક ફાવટ આવી ગઈ, એમ તમને તો ન જ લાગે ને ? જે આપણે વિશ્વાસે રહે, તેને આપણાથી છેતરાય ? આપણું ઉપર વિશ્વાસ મૂક્યો, એટલે વિશ્વાસ મૂકનારે આપણને સારા માણસ માન્યા ને ? સારા માણસ તરીકેનું આપણને એણે માન આપ્યું ને ? આપણે સારા ન હોઈએ તોય, જે આપણને સારા માને તેને માટે તે આપણે ભૂંડા થઈએ નહિ ને? જેમ ક્ષત્રિયે લડતા ખરા, પણ તે લડવા આવેલાની સામે લડતા. વગર કારણે લડાઈ કરે નહિ અને લડે ત્યારે પણ સામા પાસે હથિયાર ન હોય તે પોતે એને આપે અને પછી લડે ખરા, પણ એમાંય નીતિ જાળવે. શસ્ત્ર વગરનાની સામે શસ્ત્ર લઈને એ લડે નહિ. તેમ તમે વેપાર તે કરો, પણ વેપારમાં નીતિ જાળવે કે નહિ ? તમારા ઉપર કેઈ વિશ્વાસ મૂકે, તે એના વિશ્વાસને ગેરલાભ તે તમે લે નહિ ને? સવ વિશ્વાસ રાખે, એ સારી રીતે ઠગાય. આ તે માણસાઈનું પણ લીલામ છે. વિશ્વાસુને ગરદન મારે એ શૂરવીર તે નથી, પણ માણસ પણ નથી. માણસાઈની જ્યારે ખરેખરી ઊણપ પડી જાય, એવા કાળમાં ધર્મ અતિશય દુલભ બની જાય-એમાં નવાઈ નથી. એવી દશામાં જેઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy