SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] સમ્યગદશન-૧ મણિ મળ્યો, પણ એકે અજ્ઞાનથી ગુમાવ્યા અને બીજાએ લોભથી ગુમાવ્યો ? તત્ત્વજ્ઞાનને પામેલે, ભગવાનને અને ભગવાનના માર્ગને સારી રીતિએ ઓળખી શકે છે. જે જેને ઓળખે જ નહિ, તે તેનાથી ઉઠાવવો જોઈતો લાભ શી રીતિએ ઉઠાવી શકે ? જે તત્ત્વને જાણે નહિ, તેના હાથમાં સાચું આવી ગયું હોય, તે પણ સાચું હાથ આવ્યાથી જે ફળ મળવું જોઈએ, તે ફળ તેને મળે શી રીતિએ ? અજ્ઞાનને પણ જે સારું રુચે તે તે તેને કાંઈક ને કાંઈક ફળ જરૂર આપે પણ સ્વાભાવિક રીતિએ સારું છે, એટલે પણ જાણવાનું મને તે થાય ને? તમને તમારા સારા ભાગ્યના ચગે, સામગ્રી તે એવી સુન્દર મળી ગઈ છે કે-એનાં વખાણ કર્યા વિના ચાલે નહિ, પરંતુ તમને જે સામગ્રી મળી છે, તેની ખરી કિંમત તમને સમજાય, તે તમે આ બધી સારી સામગ્રીનો સારી રીતિએ લાભ ઉઠાવી શકે ને ? એ વિના તે, કદાચ, રબારીને મણિ મળ્યા જેવું પણ થાય. કહેવાય છે કે એક રબારી રોજ બકરીઓને ચારવાને માટે જંગલમાં જતે. ત્યાં કેઈ એક વખતે એક મણિ પડેલો તેના જેવામાં આવ્યો. બીજા પથરાએ કરતાં, એ મણિને ચળકાટ ઘણું વધારે હતે. એના એ ચળકાટને જોઈને એ રબારીએ એ મણિને લઈ લીધે. - મણિ મનેય ખરો અને ગાય ખરો, પણ તે કેટલા પૂરતે. ગયે ? મણિની કિંમત સમજાઈ હતી માટે એ મણિ રબારીને ગમે હતે એવું નહિ; રબારીને તે, મણિના માત્ર રૂપ, રંગ અને આકારે એ જ આકર્ષ્યા હતે. - સાંજે બકરાંને ચરાવીને પાછા ફરતાં રબારી એ મણિની સાથે રમત રમતે આવે છે. મણિ ગમી ગયું છે, એટલે એ મણિની સાથે એ ગેલ કર્યા કરે છે. એમાં એને, રસ્તામાં એક વાણિયે મળે. આ રબારી, એ વાણિયાને દેણદાર હતે. એ વાણિયાએ આ રબારીને એક રૂપીએ વ્યાજે ધર્યો હતો. રબારી એ વાણિયાને દૂધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy