SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪] સમ્યગ્રદશન-૧ આ જ વસ્તુને ન્યાયવિશારદન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી ગણિવર સમિતિના સડસઠ બેલની ગુજરાતી ભાષાની સજઝાયમાં જણાવે છે કે : વર્તમાન શ્રતના જે અર્થને, પાર લહે ગુણ ખાણ.”, વર્તમાન શ્રુતના અર્થને પાર પામનારા અને ગુણેની ખાણ સમા, એ “પ્રવચનિક” નામના પ્રભાવક છે. (૨) ધર્મસ્થી : (૩) ભવ્ય જનેને પ્રતિબંધ પમાડનારા અને કથન લબ્ધિને ધરનારા “ધર્મકથી” કહેવાય છે. આ વાતને જણાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે ધર્મકથી તે રે બીજે જાણીએ, નંદીષેણ પરે જેહ, નિજ ઉપદેશે રે રંજે લોકેને, ભંજે હૃદય સંદેહ.” બીજા પ્રભાવક “ધર્મકથી” છે, જે શ્રી નંદીની માફક પિતાના ઉપદેશથી લોકોને રંજિત કરે અને તેમના હદયના સંશોનું ભંજન કરે. માત્ર વાત એટલી કે સંશય કરનાર જિજ્ઞાસુ હો જોઈએ. તેને આશય વસ્તુને સમજવાનું જ જોઈએ, સભાને મૂંઝવવાને કે પિતાની વિદ્વત્તાને પેટે આડંબર કરવાને ભાવ તેના હૃદયમાં ન હવે જોઈએ. એવા ભાવવાળા તે ઉત્તમ દેશનામાંથી ઝરતા જ્ઞાનામૃતનું પાન સ્વયં કરતા નથી અને અન્યને પણ ન કરવા દઈને નિરક અંતરાયના ભાગીદાર થાય છે. એવાઓના સંશય ભરવાનું કામ તે અશક્ય જેવું જ છે; કારણ કે તેઓ જિજ્ઞાસુ હોવા કરતાં ઇશદાપૂર્વકના જીદ્દી હોય છે. આ ખામી તેઓના અશુભ કમની છે, એમ માની તેવાઓ પ્રત્યે ભાવદયા ચિંતવી તેઓની ઉપેક્ષા કરવી એ જ ધુ હિતકર છે. (૩) વાદી - ત્રીજા પ્રભાવકનું વર્ણન કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy