SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યશનનાં પ્રકીર્ણ કિરણે [ અ3 - ૭, વાત્સલ્ય-શકિત મુજબ સાધમીનું વાત્સલ્ય કરવું. - આ વાત્સલ્યભાવમાં કહ્યું નથી પણ ભક્તિ છે. પ્રભુમાર્ગમાં રહેલા ધર્માત્મા પ્રત્યે વાત્સલ્યભાવ એટલે કે ભક્તિભર્યા ભાવ હોય. પ્રમોદ તે ગુણને અંગે હોય જ અને એ સમ્યફવા મિશ્રિત ગુણે પ્રત્યેની અમેદ ભાવના સાથે પ્રશંસા પણ હોય જ. ધમી પ્રત્યે કરુણા હાઈ શકતી નથી. જેના પગથી પામવાનું તરવાનું તેના પ્રત્યે કરુણું ભાવના રાખવી વાસ્તવિક નથી. કરુણ તે હીન પાત્રમાં રાખવાની છે. ઉચ્ચ તથા સમાન પાત્રમાં તે ભક્તિ જ હોય. ભક્તિની જગ્યાએ કરણ કરનારે દર્શનને હાનિ પહોંચાડનાર છે. ભક્તિના સ્થાને જ્યારે અનુકંપા આવે ત્યારે મનમાં એમ થાય છે કે “હું મેટ !' અને આમ થાય એટલે સામાની મહત્તા ઓછી અંકાય. જ્યાં મારું તે એનું” એમ હેાય અને “મારું, તે પુણ્યશાળીના ઉપગમાં ક્યારે આવે” એ ઉમળકે હોય ત્યાં અનુકંપા શાની? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બધું પાતપિતાના સ્થાને શેભે. ભક્તિના સ્થાને અનુકંપા કરવી અને અનુકંપાને સ્થાને ભક્તિ કરવી તે પણ દોષ છે. ૮, પ્રભાવના – શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય તેવી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ કરવાના પ્રયત્ન કરવા. જેણે સમ્યગ્દર્શન સાચવવું હોય તેણે તેને આઠે આઠ આચારેનું પાલન કરવું જ જોઈએ. “પ્રભાવના” એ શ્રી સમ્યગ્દર્શનને છેલ્લે (આઠમે) પ્રકાર છે. શ્રી જૈનશાસનમાં આઠ પ્રકારના પ્રભાવક કા છે – (૧) પ્રાવચનિક (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાવાન (૭) સિદ્ધ અને (૮) કવિ. (૧) રાવચનિક : કાલને ઉચિત કૃતને ધરનાર એવા પ્રવચનિક સૂરીશ્વર, સાધુસાવી અને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારા હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy