SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ! ૨ ] સમ્યગ્દર્શન-૧ છે. એ ખાલીને કાચાપાચાને બેસાડી પણ દે છે. કદાચ પેલા સંયમરસિક આત્મા સામે એમ કહે કે મારી તેા ભાવના છે જ.' તા પેલા કૃત્રિમ દયાના પૂજારીએ ધમકાવીને પણ એને બેસાડી દે. માંદો હાય તે! પરવા ન કરે, મરતા હોય તા મરવા દે, રાતી પાઈ લેણી મ્હાય તા કાર્ટ ઘસડે પણ સચમ લેવા જાય તે સગા બાપ થઈને આવે, એવા પણ પરાપકારીઓ આજે આછા નથી. એ બધા આ - સ્થિરીકરણ ’ ગુણના વૈરીએ છે. .... શ્રી ધના કાકી જ્યારે મા પાસે સયમ લેવાની અનુમતિ માગવા જાય છે ત્યારે એ મા શું કહે છે ? એ કહે છે કે. અનુમતિ વત્સ ! કાઈ ન દેશે, પાડોશી સયમ લેશે.” 66 વત્સ ! સાંભળ ! ઘરના જાય તે તે અનુમતિ ન દે, પણ પાડોશી પણ સંયમ લેવા જાય તે તેને પણ કોઈ અનુમતિ ન આપે. માટે તું ભલે અનુમતિ લેવા આવ્યા, પણ અમે તા મેહમાં પડેલાં છીએ, ત્યાં અનુમતિ આપવાનું કામ કિઠન છે. “ સમ્યગ્દષ્ટિ માતાના કેવા ઉદ્ગારા ! શ્રેણિક મહારાજાને અવિરતિના ધાર ઉડ્ડય હતા, વિરતિના પરિણામ સુદ્ધાં જેમને સ્પશી શકતા ન હતા, એવા પણ એ જ્યારે જ્યારે, જ્યાં જ્યાં વિરતિ જોતા, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં તેમની રામરાજી વિકસ્વર થઈ જતી. એમના તે વખતે કેવા ઉદ્ગાર નીકળતા તે આપણે જોઈ આવ્યા. સયમના અથી આગળ ધર્માત્માના એવા ઉદ્દગાર નીકળવા જોઈએ કે જે સાંભળીને સામાને એમ થઈ જાય કે અનેક પુણ્યશાળી જેના આટલા ગુણ ગાય છે, તે વસ્તુને હું પામવા તૈયાર થયા છું, એ મારુ' જેવુ... તેવું પુણ્ય નથી; આ રીતે એ ધર્માંમાં વધુ સ્થિર બને. એ પ્રમાણે સ્થિરીકરણ દર્શાનાચારને સમજે અને સમજ્યા બાદ ખરાખર ક્રૂરજ બજાવા—કોઈ ને પણ ધર્માં માં સ્થિર કરવાના પ્રયત્ન કરવા, પણ ભૂલેચૂકે પગ ખેં'ચી પટકવાના પ્રયત્ન ન થઈ જાય તેને માટેની પૂરતી સાવધાની રાખવી આવશ્યક છે. આ રીતે તમે ધર્મોમાં સ્થિર બના અને અન્યને સ્થિર મનાવા. 66 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy