SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૮૫ ભણ્યા, મલ્લવાદી પરે જેહ; ગાજતા જિમ મેહ; ધન ધન શાસન મંડન મુનિવરા. વાદી ત્રીજો રે તનિપુણ રાજદ્વારે જયકમલા વરે, ત માં નિપુણ અને પ્રસંગ આવ્યે જે આચાર્ય ભગવાન શ્રી મલ્લવાદિજીની માફક મેઘની જેમ ગારવ કરીને રાજ્યદરબારમાં પણુ જયલક્ષ્મીને મેળવે છે, તેવા વાદી પણ શ્રી જિનશાસનમાં પ્રભાવક ગણાય છે. શાસન ઉપર વિરેાધીઓ તરફથી આવતી આપત્તિઓના સમયે મૌન રહેવું, એ શાસનરસિક મુનિવરી માટે જરા પણ હિતકર નથી. શાસન ઉપર પ્રહાર થતા હૈાય એવા સમયે શક્તિસ'પન્ન મહર્ષિઓએ શાસનરક્ષામાં પેાતાની સર્વ શક્તિ ખેંચી નાખવી જોઈ એ. જો તે છતી શક્તિએ ઉપેક્ષા કરે તે આરાધક મટી વિરાધકની ક્રેડિટમાં જાય છે. શ્રી જિનેશ્વરદેવેાના પરિવારનાં જ્યાં જ્યાં વન આવે છે, ત્યાં ત્યાં વાદીઓની સંપદાનું પણ વર્ણન આવે છે. એ વાદીઓને સુરાસુરની સભામાં પણ અક્ષાભ્ય તરીકે વર્ણવ્યા છે. ખરેખર વાદીઓ પણ શાસનની પ્રભાવના કરનારા છે. કોઈ વિતંડાવાદી પણ આવે, કોઈ તર્કવાદી પણ આવે એ બધાની સામે જરા પણુ ક્ષેાભ પામ્યા વિના તે પુણ્યપ્રભાવક વસ્તુનું વસ્તુ તરીકે પ્રતિપાદન કરતાં લેશ પણ અચકાય નહિ. સત્ય વસ્તુને પ્રસિદ્ધિમાં લાવવા માટે કરવામાં આવતા વાદ એ કાંઈ વઢવાડ નથી; પણ તેવા સમયે શ્રી જૈનશાસનને જગતમાં દીપ્તમાન કરવાનું પ્રમળ સાધન છે. (૪) નૈમિત્તિક : નૈમિત્તિક પણ શ્રી જિનશાસનના પ્રભાવક છે, નિમિત્તશાસ્ત્રના પરમ જ્ઞાતાનું કહેવુ કદી પણ ખાટુ હોય નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનના નૈમિત્તિકે બધાના જોષ જોવા ન બેસી જાય. જેને તેને નિમિત્તશાસ્ત્ર આપવું એ પણ પાપ કર્યું છે. પ્રાવચનિક માટે પશુ કહ્યું છે કે-એ પણ જો અયાગ્ય કે અધિકારીને પ્રવચન આપે તેા તેમને પ્રાયશ્ચિત્ત લાગે. નૈમિત્તિક માટે કહ્યુ છે કે ઃ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy