SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૪૫૯ વર્ણવવામાં આવ્યા છે. ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે સમ્યગ્દર્શનને ઘણે સ્થળે વર્ણવ્યું છે. પ્રથમનું ઔપશમિક સમ્યક્ત્વ દર્શન પંચકના ઉપશમથી થાય છે, ક્ષાપથમિક સમ્યક્ત્વદર્શન મેહનીયન ક્ષપશમથી થાય છે, અને ક્ષાયિક સમ્યક્ત્વ દર્શન સપ્તકના ક્ષયથી થાય છે. આ સંસારમાં જીવને ઔપશમિક ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે વધુમાં વધુ કેટલી વાર પ્રાપ્ત થાય? એને ખુલાસે કરતાં જ્ઞાનીઓ ફરમાવે છે કે-આ સંસારમાં જીવને ઔપશમિક સમ્યફ પાંચ વાર પ્રાપ્ત થાય છે, ક્ષાપશમિક સમ્યકૃત્વ અસંખ્યાતી વાર પ્રાપ્ત થાય છે, અને ક્ષાયિક સમ્યક્ત્વ એક વાર પ્રાપ્ત થાય છે. ' મૂળ, પ્રવેશદ્વાર, પીઠ, આધાર, ભાજન અને નિધાન તરીકે સમ્યગ્દર્શનની વ્યાખ્યા : અનન્ત ઉપકારીઓએ સમ્યગ્દર્શનને ધર્મવૃક્ષના મૂળ તરીકે ધર્મપુરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાદના પીઠ તરીકે, ધર્મરૂપ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણ રત્નના નિધાન તરીકે પણ વર્ણવ્યું છે. મૂળની શુદ્ધિ વિના જેમ વૃક્ષ ખીલતું નથી, તેમ સમ્યગ્દર્શન વિના આત્માને ધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકતી નથી. સમ્યગ્દર્શન રૂપ દ્વારા વિના આત્માને ધર્મપુરમાં પ્રવેશ કદીપણ થઈ શકતું નથી. જે આત્માઓએ સુન્દર ધર્મરૂપ પ્રાસાદને સ્થિર બનાવવું હોય, તેમણે સમ્યગ્દર્શન રૂપ પીઠને મજબૂત બનાવવું જ જોઈએ. પૃથ્વી જેમ જગતને આધાર છે, તેમ ધર્મરૂપ જગતને આધાર સમ્યગ્દર્શન છે. ઉપશમ રસનું ભાજન સમ્યગ્દર્શન સિવાય બીજી કેઈપણ વસ્તુ બની શકતી નથી. અહિં સાદિ મૂલગુણે કે પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણે સમ્યગ્દર્શન રૂપી નિધાન વિના સુરક્ષિત રહી શકતા નથી. આથી જ અનન્તજ્ઞાનીએ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનને અપ્રમાણ તરીકે અને ચારિત્રને નિષ્ફળ તરીકે ભારપૂર્વક જણાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy