SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગશનનાં પ્રકીર્ણ કિરણે [૪૪૫ પછી જ સમ્યગ્દર્શનને આવિર્ભાવ થાય છે. આવા સમ્યગ્દર્શન ગુણને પામેલે આત્મા તે, સામગ્રીસંપન્નદશામાં, અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તના સ્વરૂપને જાણવાની અભિલાષાવાળો હોય જ, પણ જેઓ આ ગુણને પામવાને ચાહતા હોય તેઓએ પણ, આત્માને અનન્તજ્ઞાનીઓનાં વચને પ્રત્યે વિશ્વાસુ બનાવીને, સદ્દગુરુઓ દ્વારા, અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ચેતન અને જડ : જ્યારે ને ત્યારે સંસારી જીમાં સંખ્યાહાનિ અને સિદ્ધ છમાં સંખ્યાવૃદ્ધિ જ થયા કરે છે ? ચેતન અને જડ, એ બે મુખ્ય તર છે. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ અને નિર્જરા–એ તો જીવ અને અજીવન યેગને કારણે છે. કર્મ રૂપ અજીવન યેગથી જીવની સર્વથા મુક્તિ એ નવમું તત્ત્વ છે નવતત્વ તત્વ અર્થાતુ-મુક્તિ પ્રાપ્ત થઈ જાય, પછી તે આત્મા શાશ્વત કાળ માટે મુક્તાવસ્થામાં જ રહે છે. મુક્તાવસ્થા સિવાયની કઈ પણ અવસ્થા એવી નથી, કે જે અવસ્થામાં દુઃખને સર્વથા અભાવ હોય તેમજ જે અવસ્થા શાશ્વત ટકી રહેતી હોય. આત્મા જ્યાં સુધી મુખ્તાવસ્થાને પામતે નથી, ત્યાં સુધી એને સુખમય શાશ્વત દશા પ્રાપ્ત થતી નથી આથી. ઉપકારીઓએ, આત્મા જે પ્રકારે સુખમય શાશ્વત દશાને પામી શકે તે પ્રકારને દર્શાવ્યું છે, અને એ જ પ્રકારને સેવવાનું વિધાન કર્યું છે. આત્મા પણ એવો પદાર્થ નથી, કે જે નવ ઉત્પન્ન થઈ શકતે હોય અગર તે જેને સર્વથા નાશ થઈ શકતે હેય. આત્માની સંખ્યામાં પણ કેઈથીય હાનિ કે વૃદ્ધિ કરી શકાતી નથી. એક વાત જરૂર છે અને તે એ કે જેમ જેમ સંસારી “આત્માઓ સિધ્ધદશાને પામતા જાય છે, તેમ તેમ સંસારી આત્માઓમાં સંખ્યાહાનિ ' અને સિદ્ધ આત્માઓમાં સંખ્યાવૃદ્ધિ થયા કરે છે. અનન્તાકાળથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy