SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] સમ્યગુદર્શન-૧ લેપાય નહિ. કર્મના ધક્કાને એ આવી રીતે નિષ્ફળ કરે. કાજળની કેટલી ગમે કેને? જેનું હિયું કાજળથી રંગાએલું હોય તેને જ ને? જેના હૈયામાં ઉજાસ પ્રગટ છે તેને તે કાજળની કોટડીમાં રહેવાનુંય ગમે નહિ અને એમાં પિસવાનુંય ગમે નહિ. હૈયામાં ઉજાસ પ્રગટવા છતાં પણ એને કાજળની કોટડીમાં રહેવું પડે અગર કાજળની કોટડીમાં જવું પડે એ શક્ય છે પરંતુ એ વખતે તે કાજળની કેટડીમાં પણ નિર્લેપ રહેવાની પિતાની કળાને ઉપયોગ કરે. ત્યાં એ ચૂકે તે એના હૈયાને ઉજાસ પણ ભાગી જાય. આ વાતને યથાર્થ પણે નહિ સમજનારાઓ આજે સમ્યગ્દર્શનના નામે, પાપથી વિરામ પામવાની વાતને અને અવિરતિને ટાળનારી ક્રિયાઓને વિધ કરી રહ્યા છે. સંસાર એ કાજળની કેટલી છે. સમ્યગ્દર્શનથી હૈયામાં ઉજાસ પ્રગટે છે. એ ઉજાસના વેગે જીવને કાજળની કોટડીમાં પણ કાજળથી લેપાયા વિના જીવવાની કળા હસ્તગત થાય છે. પણ એના હૈયામાં પ્રગટેલે ઉજાસ એને એ જ બતાવે છે કે અહીં રહેવું સારું નથી. આથી જે શક્ય હોય તે તે તેમાંથી નીકળવા માંડે છે અને તેવી શક્યતા નથી હોતી તે તે એક તરફ તે શક્યતાને મેળવવાના પ્રયત્નમાં લાગે છે અને બીજી તરફ કાજળની કેટડીમાં પણ કાજળથી નહિ લેપાવાની કળાને ઉપયોગ કરે છે. આવી દશામાં જે જરા પણ ગફલત થઈ જાય, તે કેવું પરિણામ આવે એ વિચારવા જેવું છે. . . સમ્યગ્દર્શન - એટલે તત્ત્વચિ: - આત્મહિતની નાશક જેટલી સામગ્રી એના ઉપર અરુચિ અને આત્મહિતને ઉપકારક જેટલી સામગ્રી, એના ઉપર રુચિ એ સમ્યગ્દર્શન છે. આવી રૂચિ આવવી એ કાંઈ સહેલી વાત નથી. અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તને અને એ તત્ત્વના સ્વરૂપને દિલમાં નિશંકપણે સ્થાપિત કરવા જેટલી લાયકાત આત્મામાં આવ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy