SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદષ્ટિની અવસ્થા . [૪ર૧ પાલક બનીને, અનેક આત્માઓને મેક્ષના માર્ગે દોરનારા બનવા સાથે, પિતાના મેક્ષને મેળવનારા બને છે અને સદાકાળને માટે સંપૂર્ણ સુખી બની જાય છે. સમ્યગ્દર્શન વિનાનું ગમે તેવું જ્ઞાન પણું અજ્ઞાન : શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનીને ધર્મતીર્થની સ્થાપના કરનારા શ્રી તીર્થંકર પરમાત્માઓએ, જગતના જીવાજવાદિ સઘળા ય પદાર્થોના સ્વરૂપનું વર્ણન કર્યું છે, પરંતુ ઉપાય રૂપે તે એક માત્ર મેક્ષ અને મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. સુખ ક્યાં ક્યાં છે, જ્યાં સુખ છે ત્યાં કેટલા પ્રમાણમાં સુખ છે, તે સુખ પણ કેવા કેવા પ્રકારનું છે અને તે તે સુખ કેને કયા કયા ઉપાયે મળી શકે છે–તેનું જ્ઞાન, તેમ જ દુઃખ ક્યાં ક્યાં છે, જ્યાં દુઃખ છે ત્યાં કેટલા પ્રમાણમાં , દુઃખ છે, તે દુઃખ પણ કેવા પ્રકારનું છે અને તે તે દુખ કેને ક્યા કયા કારણે મળે છે તેનું પણ જ્ઞાન, એ તારકોને સર્વજ્ઞ હોવાથી, પરિપૂર્ણ હતું. આથી જ, દુઃખના શ્રેષી અને સુખને અતિ અથ એવા જગતના જીને, એ તારકોએ, એક માત્ર મેક્ષમાર્ગની સાધના કરવાનો જ ઉપદેશ આપ્યો છે. દુઃખને સર્વથા અભાવ અને તે સાથે સુખની પરિપૂર્ણતા, એ વિના મેક્ષ સંભવી શકે, એવી વસ્તુ જ નથી. જગતમાં કેઈ જીવ એવો નથી, કે જેને દુઃખ ખરેખર ગમતું હોય અને સુખની અભિલાષા ન હોય. દુઃખની અભિલાષા હોય અને સુખની અભિલાષા ન હોય, એ શક્ય જ નથી. જગતના છ દુઃખથી રીબાય છે અને સુખને માટે તરફડી માર્યા કરે છે. આ રીબામણની અને તરફડીઆ મારવાની દુખમય હાલતને અંત આવે, એ મેક્ષ વિના અસંભવિત હેવાના કારણે જ, એ પરમાત્માઓએ ભવ્ય જીને સંસારથી છોડાવી માસે પહોંચાડવા માટે મેક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. એ તારકે એ જગતના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે, તે વર્ણન પણ એ માટે જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy