SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૪૧૯ ભાવવાને અભ્યાસ કરતાં કરતાં, આત્માને દ્વેષ રૂપી અગ્નિ શમી જાય છે, કારણ કે-મૈત્રીભાવને ભાવતાં ભાવતાં આત્મામાં સમાનભાવ પેદા થાય છે. વેરભાવવાળા આત્માઓ મેક્ષમાર્ગની સાચી આરાધના કરી શકતા નથી. કેઈના પણ અકલ્યાણની ભાવના રહે નહિ અને સૌના કલ્યાણની ભાવના આવે, ત્યારે જ સાચા ધર્મચારી બની શકાય છે. દ્વેષભાવ ઉપશમી જાય અને મૈત્રીભાવ પ્રગટવા પામે, ત્યારે જ શુદ્ધ અહિંસામય ધર્મનું સુંદર પ્રકારે પાલન થઈ શકે છે, માટે મુમુક્ષુએએ આ ગુણ કેળવે એ પણ જરૂરી છે. બાહ્ય સંગેને ત્યાગ પણ પરમ ઉપકારક : મુમુક્ષુઓએ ત્રીજે ગુણ જે કેળવવા લાયક છે, તે મમત્વના ત્યાગને છે. ધન-ધાન્યાદિ જે પરિગ્રહ છે તેને તેમ જ સંસારના જે જે પદાર્થો ઉપર અને જે જે વ્યક્તિઓ ઉપર મમત્વને ભાવ છે તેને પણ ત્યાગ કર. એ મોક્ષમાર્ગની આરાધના કરવાને માટે જરૂરી છે. આ ગુણને માટે આત્માએ બાહ્ય સંગને ત્યાગ કરવાનું છે. અનુકૂળ એવા પણ બાહ્ય સંગે, સરવાળે તે, દુઃખને જ કારણરૂપ છે.—એ વાત નિશ્ચિત છે. મુમુક્ષુ બનેલા આત્માને બાહ્ય સંગે દ્વારા ભેગવાતા સુખાભાસમાં રસ રહેતું નથી. એને તે આત્મિક સુખને અનુભવ કરે છે. મુમુક્ષુને, ઉપાધિજન્ય નહિ, પણ ઉપાધિરહિત સુખ ખપે છે. બાહ્ય સંગે, એ પિતે જ ઉપાધિરૂપ છે અને અનેકવિધ ઉપાધિઓના જનક છે. બાહ્ય-સંગોને યેગ, મૈત્રીભાવમાં પણ વિક્ષેપ ઉપજાવનાર નીવડે છે. હવે તે, મુમુક્ષુ આત્માઓ, આંતરિક સંગે ઉપર ઘસારો કરવાનું છે. એ માટે, એણે, પહેલાં શક્ય એટલો બાહ્ય સંગને ત્યાગ કરે જઈએ. બાહ્ય સંગને ત્યાગ કરવાથી, સૌથી ઉપાધિઓના જી. હવે તે પહેલાં કરવાથી, સૌ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy