SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ] સમ્યગદર્શન-૧ અત્રે દેવતવના સંબંધમાં થોડાક વધુ ખુલાસાની આવશ્યકતા છે. દેવ વીતરાગ અને સર્વજ્ઞ હોવા જ જોઈએ, એમાં બે મત નથી, પરંતુ સઘળાય વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓનો સમાવેશ દેવતત્વમાં થતું નથી. દેવતત્વમાં સઘળાય મુક્તાત્માઓનો સમાવેશ થાય છે, પરંતુ જે આત્માઓ વીતરાગતાને અને સર્વગ્રપણાને પામ્યા. બાદ જ્યાં સુધી સદેહે વિચરતા હોય, ત્યાં સુધી તે આત્માઓ. પૈકી જે મેક્ષમાર્ગના સ્વતન્ન પ્રરૂપક અને ધર્મતીર્થના સ્થાપક આત્માઓ હોય છે, તે આત્માએ દેવતત્ત્વમાં ગણાય છે, જ્યારે બાકીના શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓને સમાવેશ ગુરુતત્વમાં થાય છે. પ્રાણું માત્ર પ્રત્યે મૈત્રીભાવ વાળા બનવું જોઈએ: શુદ્ધ મેક્ષમાર્ગને સાચા આરાધક, એટલે કે–ધર્મચારી બનવાને માટે મુમુક્ષુ આત્માઓએ જેમ સદા સાધુજનની બહુમાનપૂર્વક સેવા કરનારા બનવાની જરૂર છે, તેમ મૈત્રીભાવના અભ્યાસવાળા પણ બનવાની જરૂર છે. મંત્રીભાવ એટલે પ્રત્યુપકારથી નિરપેક્ષ એ પ્રીતિભાવ. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રીતિભાવવાળા બનવું જોઈએ અને કઈ પણ પ્રાણી તરફથી એ પ્રીતિભાવના બદલાની અપેક્ષા નહિ રાખવી જોઈએ, એટલે, જે આપણું પ્રત્યે પ્રીતિભાવવાળો હોય, તેના પ્રત્યે આપણે પ્રીતિભાવવાળા બનવું એમ નહિ, પરંતુ આપણે પ્રત્યે જે અપ્રીતિભાવવાળે હોય, તેના પ્રત્યે પણ આપણે તે પ્રીતિભાવવાળા જ બનવું. આ મિત્રીભાવમાં “આ મારે, અને આ મારે નહિ. એવે પણ કઈ ભેદ પાડવાને નહિ; તેમ જ આ તે પશુ છે, આ તે પંખી છે, એ એ પણ કઈ ભેદ પાડવાને નહિ. સૂમમાં સૂક્ષમ દેહને ધરનાર જીવ હોય, તે પણ તેના પ્રત્યે પ્રીતિભાવને ધારણ કરવાને. આ મંત્રીભાવ કાંઈ સહેલાઈથી આવી શકતું નથી, એટલે રોજ આ ત્રીભાવને ભાવવાને અભ્યાસ કરવાને. આ રીતે જ મિત્રીભાવને . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy