SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યષ્ટિની અવસ્થા [ ૪૧૫ વિના પણ રહેતા નથી. તમે જે સદ્ગુરુના સુચેાગે સમ્યગ્દર્શન પામા અથવા તા જે સદ્ગુરુના પ્રતાપે તમને સમ્યક્ત્વ ઉચ્ચરવાનું મન થાય, તે સદ્ગુરુની સેવામાં તમને તમારી પાસે જે કાંઈ હોય તે બધુ મુકી દેવાનું મન થાય ખરૂ ? તમારામાંના ઘણાએ સમ્યક્ત્વ ઉચ્ચયુ હશે, તે તે વખતે તમને એવું કાંઈ કરી નાખવાનું મન થયેલુ ખરૂ ? સમકિતદાતાનેા પ્રત્યુપકારઃ તમે મુંઝાતા નહિ. શ્રી જૈનશાસનના સદ્ગુરુએ એમાંનુ કાંઈ લે એવા નથી. તમે તેમને આપવા માટે ભારેમાં ભારે આગ્રહ કરશેા તા પણ તેઓ એમાંનુ કશુ લેવાના નહિ. શ્રી જૈનશાસનના સદ્ગુરુઓને ઘર મળી જાય તેા ઘર રાખે નહિ અને ધન ધાન્યાદિ મળી જાય તા ધન–ધાન્યાદિ પણ રાખે નહિ. તમે સમજો છે ને કે એમને ઘર અને ધન-ધાન્યાદિ પરિગ્રહના યાગ નહાતા માટે અથવા તા ઘર અને ધન-ધાન્યાદ્રિ વગેરે એમને મળી શકે એમ નહોતુ, માટે એ ત્યાગી થઈ ગયા છે એવુ નથી પણ જે કાંઈ એમની પાસે હતું તેય એમને રાખવું નહાતું અને એમાંનું કાંઈ એમને આવી મળે તાય તે એમને જોઇતુ નહાતું. કેમકે એ બધું પાપ રૂપ છે, માટે જ એ ત્યાગી થઈ ગયા છે ? શ્રી નયસારે જ્યારે ધન, રત્ન, ભવન વગેરે પાતાની પાસે જે કાંઇ હતું તે ગ્રહણ કરવાની મુનિવરોને વિનંતી કરી, ત્યારે શ્રી નયસારને ધર્મોપદેશ આપનારા ધમ કથાલબ્ધિસંપન્ન મુનિવરે પણ શ્રી નયસારને કહ્યું છે કે તમે જે કહ્યું તે બહુ જ સારૂં કહ્યુ છે, કેમ કે સમ્યક્ત્વને દેનારા ગુરુ ઉપર માત્ર એક ભવમાં જ નહિ પણ ઘણા ભવા પન્ત અને તેય હજારો અને ક્રોડા પ્રકારે ઉપકારા કરવામાં આવે, તે પણ એ ગુરુએ કરેલા પરમ ઉપકારના પ્રત્યુપકાર થઈ શકતા નથી; પણ તમારે જો અમને કાંઈ પણ આપવું જ છે, તેા અમે કહીએ છીએ કે–તમે હવે ધર્મોક્રમમાં નિરન્તર ઉત્તમ કરતા રહેજો અને જો તમે એમ કરશે. તા તમે પરમાથ થી અમને બધુ જ આપી ચૂકયા છે ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy