SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા (૧૩ ચિન્તવન કર્યા કરવુ જોઈ એ. આમ સંન્યષ્ટિ આત્માઓએ પણ સાવધ રહેવુ જોઈ એ. શ્રી ધના સાવાહ અને સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન ગુણુ આત્મામાં પ્રગટયા, એટલે સદ્ગુરુના દશનની અને સધના શ્રવણની ઈચ્છા પ્રગટયા વિના રહે નહિ. શક્ય હોય તા સમ્યગ્દષ્ટિ જીવ દેવપૂજન, ગુરુવંદન અને ધર્માંશ્રવણ કર્યા વિના રહે નહિ. તમે તેા રાજ દેવપૂજન, ગુરુવંદન અને ધર્મ શ્રવણ કરતા હશે! ને? એમાં જેટલેા પેાતાના ધનના અને મન-વચન-કાયાના ચેાગેાના ઉપયાગ થાય, એ જ એના ખરેખરો ઉપયાગ છે, એવુ માનનારાઓમાંના તમે છે ને ? શ્રી ધના સા વાહના પ્રસંગ જાણા છે ને ? શ્રી ધના સાવાહ એકદા રાત્રિના સમયે પેાતાના સામાં સાથે રહેલા પરમ ઉપકારી આચાર્ય ભગવાન પાસે આવ્યા. મુનિઓના આશ્રયસ્થાનમાં પ્રવેશ કરીને તેમણે પહેલાં આજ્ઞા માગી અને તે પછી આચાર્ય ભગવાન આદિને નમસ્કાર કર્યાં. તે પછી જ શ્રી ધના સા વાહ ચેાગ્ય સ્થાને બેઠા. અવસર જોઈ ને આચાર્ય ભગવાન શ્રીમદ્ ધ ઘાષસૂરિજી મહારાજાએ પણ ધર્રદેશના શરૂ કરી અને તેમાં અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા ધર્માનું સ્વરૂપ વ યું. એ ધર્મ દેશનાને સાંભળીને શ્રી ધના સાવાહને ભારે આનંદ થયેા. જિંદગીમાં કદી નહિ જાણવા મળેલુ એવુ આજે જાણવાને મળ્યુ, એમ એમને થઈ ગયું. આટલા દિવસ હું ઠગાયા, આટલા દિવસ હું આવા પરમ ધર્મથી અજ્ઞાત રહ્યો—એવુ' એ સમજ્યા અને આજે જે જ્ઞાન થયુ તેથી પેાતાને ધન્ય માનવા લાગ્યા. ધ દેશનાને સાંભળ્યા પછી પેાતાના નિવાસસ્થાને ગયા બાદ પણ શ્રી ધના સાવાહ આજના દિવસને ધન્ય માનવા લાગ્યા અને પોતે પણ આજે ધન્ય બન્યા. એ વિચારણામાં રમવા લાગ્યા. • Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy