SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગૃષ્ટિની અવસ્થા [૪૧૧. આત્માના એકાંત કલ્યાણ માટે ઉપદેશેલી પરમ કલ્યાણકારિણી દીક્ષા ગ્રહણ કરી લેવી. આ પ્રકારની મનોદશાને પરિણામે પાપ ભાગ્યું અને પુણ્ય. જાગ્યું. દશમા દિવસની રાત્રે આવીને લક્ષ્મી કહે છે કે-હવે નહિ જાઉં !' શેઠ કહે છે કે- પણ હવે હું તને રાખું નહિ. જવાની ચીજને અત્યાર સુધી રાખી એ જ ભૂલ કરી છે. હવે ફરી એ ભૂલ નથી કરવી. હવે તે સવારે અમે સઘળાય સંયમસ્વરૂપ-પ્રભુમાર્ગને શરણે જ જવાના છીએ.” સવારે બધાએ દિક્ષા લઈ લીધી. પ્રભુશાસનમાં આવા બનાવે બને, એ કઈ આશ્ચર્યભૂત વસ્તુ નથી જ. પુણ્ય પરવારે તે પહેલાં ચેતે ન આથી સમજાશે કે–સમ્યગ્દષ્ટિ આત્માની દશા જુદી જ હોય છે અને હેવી પણ જોઈએ. સામાન્ય દુનિયાને પણ એ સ્વભાવ છે કે જે કઈ શ્રીમંત લક્ષ્મીને ત્યાગ કરે તે તેને હાથ જોડે અને આ ધન્ય છે ” એમ પણ કહે; પરંતુ એ દેવાળું કાઢે તે તે એને એ ફીટકાર કરે કે–એ બિચારો બજારમાં પણ ન નીકળી શકે અને ઘણું દિવસે બાદ નીકળે તે પણ જે જાતવાન હોય તે તેને મેટું નીચું રાખવું પડે, એવી એની પરિસ્થિતિ હોય. આથી જ પરમ ઉપકાર જ્ઞાની પુરુષે ફરમાવે છે કે પુણ્ય પરવારે નહિ, પેઢીને. તાળાં દેવાય નહિ, અને કેઈ ઉપાડીને ફેંકી આવે નહિ, તે પહેલાં ચેતે. આખરે સગાંવહાલાં જ અટવીમાં ફેંકી આવશે. પિતાના શબને અગ્નિ કેણ મૂકે છે? કહો કે–હોય ત્યાં સુધી દીકરી મૂકે. તેમાંય મેટો હેય એ મૂકે. માટે એવું બને તે પહેલાં જે તમે ત્યાગ કરશો, તે તમે દીપશે, શાસનને દીપાવશે અને અનેક આત્માઓને. માટે પણ ઉપકારના કારણભૂત થશે. માટે જાગો અને સાવધ થાઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy