SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૪૦૩ પણ દેશથી ધર્મની આરાધના કરી શકે છે. જેઓ સંસારને ત્યાગ કરે તેઓ જ ધર્મ કરી શકે અને ઘમી ગણાય અને બીજાઓ થડે પણ ધર્મ ન જ કરી શકે એ એકાન્ત નિયમ આ શાસનમાં નથી. બેશક, સંસારને ત્યાગ કરીને ધર્મની પ્રવૃત્તિમાં આત્માને જોડનારાઓ ઉત્તમ પ્રકારના ધમઓ છે, પરન્તુ સંસારમાં રહીને દેશથી પણ ધર્મની આરાધના ન જ કરી શકાય એમ નથી. ત્યાગી કરતાં આરાધના ઘણી ઓછી થાય એમ કહેવાય, પણ ન જ થાય એમ ન કહેવાય. સંસારમાં રહીને ધર્મની આરાધના કરનારનું ધ્યેય તે સંસારથી મુક્ત થવાનું જ હોવું જોઈએ. સંસાર છોડવા જેવું છે, એ માન્યતા હોય જ; અને એ માન્યતા હોય એટલે સંસાર છૂટે નહિ એનું કદી દુઃખ ન થાય એમ પણ ન બને. સંસારને છોડી નહિ શકનારાએ વિશિષ્ટ ગૃહસ્થ ધર્મની આરાધના કરી શકે છે અને એ વિશિષ્ટધર્મ ન પમાય ત્યાં સુધી સામાન્ય ગૃહસ્થધમની આરાધના કરી શકે છે. ધમપણાની સન્મુખતાવાળી દશા આવી જાય તે પણ એટલા પૂરતું સારું છે. એ ક્યારેક ધર્મને પામશે અને આરાધશે. ધર્મ, અર્થ અને કામમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત : તમે વિચારે કે–તમે આંખ આડા કાન ક્યાં કરો છો ? ધર્મની બાબતમાં કે અર્થકામની બાબતમાં ? ધર્મ પ્રત્યે આજે જે ઉપેક્ષાબુદ્ધિ આવી ગઈ છે, તે ખસેડીને ઉપાદેયબુદ્ધિ લાવવી જોઈએ ? અને અર્થકામ પ્રત્યે જેમની ઉપાદેયબુદ્ધિ છે તે કાઢીને તેમણે અર્થકામ પ્રત્યે હેયબુદ્ધિ કેળવવી જોઈએ. અર્થ, કામ અધર્મમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તે ધમીપણાને પામવાની લાયકાત આવી ગણાય. ધર્મ કરતાં અર્થકામ પ્રધાન લાગે તે એમાંથી પણ બાતલ થઈ જવાય. માર્ગાનુસારી ત્રણને એવી રીતે સેવે કે–પરસ્પર બાધા ન ઊપજે. દરેકે વિચારવું જોઈએ કે–આપણી કયી દશા છે? અર્થકામ માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy