SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦] સમ્યગ્ગદર્શન–૧. અર્થકામ ખાતર કદાચ ધર્મને ભેગ દેવાઈ ગયે, અર્થકામને માટે ધર્મને ભેગ દઈ દીધે, પણ જ્યારે જ્યારે એ યાદ આવે, ત્યારે ત્યારે બળતરા થાય છે? જંગલમાં માણસ ભૂલે પડી ગયે હોય, ખૂબ તરસ લાગી હોય, પાણું શોધ્યું પણ ન જડતું , પણ ઊપડતા ન હય, પાણી મળે તે જ ચલાય એમ થતું હોય, એવા કેઈ સમયે કેઈએ કહ્યું કે-મારી પાસે પાણે છે, હું તને પાણી તે આપું, પણ આ હાથની વીંટીમાં પાંચ લાખને હીરે છે તે કાઢી આપે તે પાણી આપું !” આ વખતે શું થાય? જીવનને લાભ એ છે કે-માણસ કદાચ હીરો આપવાને તૈયાર થઈ જાય. જુએ. કે-પાણી પીધા વિને હવે જવાય તેમ નથી, ડગલું ભરાય તેમ નથી, તે હીરો કાઢી આપે અને પાણી પી લે. હવે પાણી પીધું, ટાઢક વળી, આગળ ચાલ્ય, પણ હૈયામાં શું થાય? સભા બળતરા. બળતરા પણ કેવી? કારમી. એમ પણ થાય કે-શું પાણી વગર બે કલાકમાં મરી જવાત? જ્યારે જ્યારે એ યાદ આવે ત્યારે ત્યારે એને દુઃખ થાય. કારણ? હૈયામાં હીરાની કિંમત છે. એને રાગ હૈયામાં બેઠે છે. તરસને લીધે અકળામણ થઈ, મુંઝાઈ ગયા અને ગરજાળ બની હીરો આપી તે દીધે, પણ એ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે એમ થાય કે–એક પાણીના પ્યાલા માટે પાંચ લાખને હીરે ગુમાવી દીધે! જે ડું સહન કરી લીધું હતું તે હીરો બચી જાત! એ રીતે કઈ વાર અર્થ-કામ ખાતર ધર્મને ભેગ દેવાઈ ગયે, પણ તે પછી આત્મા કકળે છે? અર્થ અને કામ જેવી નાશવંતી વસ્તુઓ માટે ધર્મને ભેગ દીધે એ ભૂલ કરી, હું કમનસીબ, એમ થાય છે? બળતરાને બદલે વ્યવહાર - કુશળતા મનાય છે ? એને બદલે, અર્થકામને માટે ધર્મનો ભોગ દઈ દીધા પછીથી * * કુશળતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy