SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩૯૯ નથી, ધર્મ પ્રત્યે જોઈએ તેવી રુચિ જાગી નથી અને શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું તથા શંકા વિનાનું એમ કહીએ છીએ ખરા છતાં સંસાર આદિ જે રૂપે લાગવા જોઈએ તે રૂપે લાગ્યા નથી, તે વિચાર કરવા જરૂર ભવું. આપણે ધારીએ તો આપણું આત્માની દશાને સુન્દર રીતે સમજી શકીએ. આપણે આપણી જાતને એમને એમ ધમ નહિ હોવા છતાં પણ ધમી માની લઈએ, આપણે ગુણ પામ્યા ન હોઈએ તે પણ પામ્યા છીએ એમ માની લઈએ, અને કરે તે વિચાર પણ ન કરીએ તે એથી ફાયદો ? કંઈ જ નહિ પણ ઊલટું નુકશાન થવાની વકી છે. અવસરે ધર્મ માટે અર્થ-કામ મૂકવાની વૃત્તિ છે કે અર્થકામ માટે ધર્મ ભૂવાની વૃત્તિ છે હવે જે આત્માને લાગતું હોય કે–ખરેખર, આપણે ધમી નથી, શ્રી જિનેશ્વરએ કહેલું તે જ સ્વરૂપવાળું છે એમ લાગ્યું નથી, તે વિચાર કરો કે-ધર્મ પામવાની લાયકાત, માર્ગાનુસારિતા પણ આપણામાં છે કે કેમ? આપણે અર્થ અને કામની પ્રવૃત્તિ એવી રીતે કરીએ છીએ કે ધર્મને બાધા ન પહોંચે ? કે પછી અર્થકામની પ્રવૃત્તિ એવી થાય છે કે-ધર્મની દરકાર પણ ન રહે? ધર્મ ખાતર અર્થકામ છોડવાની વૃત્તિ છે કે અવસરે અર્થકામ માટે ધર્મને કારણે મૂકવાની વૃત્તિ છે? કામ માટે ધર્મ અને અર્થને ભેગ આપવાની વૃત્તિ થાય કે ધર્મ અને અર્થ માટે કામને ભેગ આપવાની વૃત્તિ થાય? આત્માની સાથે આ બધું ખૂબ ઝીણવટથી વિવેકપૂર્વક વિચારવાની જરૂર છે. આત્માની દશા પારખવાની જરૂર છે. આત્માની વાસ્તવિક દશાને પારખી લઈને, હેયમાં હેયબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયબુદ્ધિ પેદા થાય, એ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. " કઈ વાર અર્થ-કામ માટે ધમનો ભંગ * * * * * દેવાઈ છે તો આત્મા કકળે છે? - હજુ એથી આગળ વિચારે. એ પ્રસંગ આવ્યું અને ' , મ , , , - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy