SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮] સમ્યગદર્શન-૧ એટલું છતાં પણ, જે આત્માઓએ વધુ લઘુકમી બનવું હોય અને છેવટ કર્મરહિત દશા પ્રાપ્ત કરવી હોય, તે આત્માઓએ પિતાની સાચી દશાને સમજવાના, વિચારવાના પ્રયત્નથી બેદરકાર નહિ રહેવું જોઈએ. પરસ્પર વિપરીત તજાય નહિ પણ મનાય કેમ? શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું તે સાચું અને તે જ શંકા વિનાનું એમ હૃદયપૂર્વક માનીએ છીએ એમ કહેવાય અને બીજી તરફ શ્રી જિનેશ્વરદેએ જેને દુઃખનાં કારણે કહ્યા તે સુખનાં કારણે લાગે, તે એ વખતે આત્માને પૂછવું જોઈએ કે-આ શું ! શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું એમ જે કહે છે તે સાચું કે આ સાચું ? પરસ્પર વિપરીત તજાય નહિ એ. બનવાજોગ છે, પરંતુ ઉપાદેયમાં પણ ઉપાદેયબુદ્ધિ અને હેયમાં પણ ઉપાદેયબુદ્ધિ એ ઘાટ હોય, તે એ પણ ખૂબ ખૂબ વિચારવા જેવું છે. શ્રી જિનેશ્વરદેવોએ જે વસ્તુ હેય, ય, ઉપાદેય કહી છે તે તેમજ લાગે છે? ઘણુઓ એમ કહે છે કે અમારી દશા ગમે તે હોય, અમારું વર્તન ગમે તેવું હોય, પણ શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું, એમ તે અમે હૃદયપૂર્વક માનીએ છીએ.” આ માન્યતા હૃદયપૂર્વકની હોય તે એ ઊંચી કોટિની લઘુકમિતા છે. એ શંકા વિનાની વાત છે કે--શ્રી જિનેશ્વરદેએ જે જે વસ્તુઓ જે જે સ્વરૂપની ફરમાવી છે; તે તે વસ્તુઓને તે તે રવરૂપની હૃદયપૂર્વક મનાય, તે પણ આત્માને મોક્ષ નિયત થઈ જાય. પરંતુ હૃદય સાથે વિચાર કરીને એ નક્કી કરવું જોઈએ કે આપણે “શ્રી જિનેશ્વરદેએ કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું” એમ કહીએ છીએ કે વાસ્તવિક રીતે માનીએ છીએ ? ” એ વાત જે માત્ર કહેવામાં જ હાય, હૈયામાં બરાબર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy