SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વનો ગાઢ અંધકાર [ શ ભગવાનના વચનને નામે ઊંધી ઠસાવી દે, તે એટલી ઊંધી માન્યતા થવા છતાંય, એનું સમ્યક્ત્વ જાય નહિ, પણ એનામાં અસદુ આગ્રહ હેય નહિ. જ્યારે પણ એની પાસે વ્યાજબી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવને વચન તરીકે વાત મૂકીને, એને એ જે માને છે તે ખોટું છે, એમ કહેવામાં આવે, ત્યારે એ “તે માને છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેવું છે કે આ કહે છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેલું છે?—એને નિર્ણય કરવાનો પ્રયત્ન કરે. આ જીવ, પોતાના કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને બાધિત કરે નહિ. “અમારા ધરમાં, અમારા કુળમાં તે આમ જ મનાતું આવ્યું છે, માટે અમે જે માનીએ છીએ તે સાચું જ છે.” – એમ એ કહે નહિ. એ તે કહે કે અમે જે માનીએ છીએ તે બેઠું છે, એવું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આગમથી સિદ્ધ થતું હોય, તે અમારી માન્યતા છેટી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું છે તે સાચું !”પહેલો નિર્ણય જ એ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કાંઈ જીવાદિતનું, દેવ-ગુરુધર્મનું સ્વરૂપ કહ્યું છે, તે જ સાચું છે ! આ નિર્ણય થયે, એટલે અજાણપણું હોવા છતાં પણ, નિશ્રા આવી ગઈ. હવે, એમાં કઈ પ્રમાણિકપણે એવું સમજાવનાર મળે કે- “તમે તમારા કુલાચારથી આ પ્રમાણે ભગવાનને કહ્યું છે એમ માનતા આવ્યા છે, પણ શ્રી જિનાગમ તે એથી ઊલટું કહે છે.”—તે, એ વખતે એ, એવું કહેનારની વાતને સાંભળે નહિ, એ બને નહિ એવું કહેનારની વાતને સાંભળીને, એને સમજવાનો પ્રયત્ન કર્યા વિના પણ એ રહેનહિ, અને જે પિતાની માન્યતા વિષેની ભૂલ સમજાઈ જાય, તે પિતાની એ ભૂલભરેલી માન્યતાને તજી દીધા વિના પણ એ રહે નહિ. પિતાની માન્યતાને કઈ ભૂલભરેલી, એટલે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવના આગમથી ઊલટી છે એમ કહે, તે એ બાબતમાં નિર્ણય કરવાને માટે, જ્યાં જ્યાં પૂછવા જેવું લાગે, ત્યાં ત્યાં એ પૂછે ખરો, બીજાઓ જે કાંઈ કહે, તેને વિચારે ખરે; પણ એની દષ્ટિ એ જ હોય કે–ભગવાને શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું હોય, તે જ સાચું છે અને એથી મારે તે જ માનવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy