SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ] સમ્યગદર્શન-૧ - વ્યવહાચ્છી જૈન ગણાતાઓમાં પણ, આ આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોઈ શકે છે. આજે જેઓ એમ માની બેઠા છે કે“અમે જૈન કુળમાં જન્મ્યા છીએ અને ભગવાને કહેલી ક્રિયાઓ પિકીની અમુક અમુક ક્રિયાઓ અમે કરીએ છીએ, એટલે અમે સમકિતી છીએ.—તેઓએ વિચાર કરવા જેવું છે. દેવ, ગુરુ અને ધર્મનું સેવન, કુલાચાર માત્રથી કરનારાઓમાં, કેટલીક વાર એવી આગ્રહશીલતા પણ હોય છે કે–આગમની વાત પણ, જો એ માનતા હોય એથી વિરુદ્ધ થતી હોય, તો તેઓ પોતાના કુલાચારને પ્રધાન પદ આપે, પણ આગમના વચનને પ્રધાન પદ આપે નહિ. કહી દે કે આગમ ગમે તેમ કહેતું હોય, પરંતુ અમારા કુળમાં આ પ્રમાણે મનાતું આવ્યું છે, માટે અમે તે આમ જ માનવાના અને આમ જ કરવાના.” આવા આગ્રહી આત્માઓને પણ, જ્ઞાનીઓએ આભિગ્રહિક પ્રકારના મિથ્યાત્વના સ્વામી કહ્યા છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ કદી પણ અપરીક્ષિતના પક્ષપાતી હતા નથી. તેમને કઈ વાર અનાગથી ઊલટું સમજાઈ જાય-એ બને અથવા તે જે ગુરુને ગીતાર્થ માનીને તે પ્રવર્તતા હોય, તે ગુરુ કાંઈક ઊલટું સમજાવી દે અને એથી એને માની લે–એ બને, પરંતુ એમના હૈયામાં એક વાત બેઠી જ હોય કે-“આ વાત ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહી છે, માટે સાચી છે અને એ માટે જ હું માનું છું.” આવા જીવને જે કઈ “ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ એવું ફરમાવ્યું નથી, પણ આમ ફરમાવ્યું છે.” – એમ સમજાવનાર મળી જાય તે એ પોતાની માન્યતાનો આગ્રહ રાખે નહિ ? કારણ કે એણે બોટાને પણ સાચું માન્યું હતું, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન તરીકે સાચું માન્યું હતું. એની પરીક્ષા કેવી ? “આ, ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલું છે કે નહિ? જો હા, તે એ સાચું અને જે ના, તે એ ખાટું. એમાં એને અનાગથી ખોટું સમજાઈ જાય અગર તે જેમના ઉપર એને એ વિશ્વાસ હોય કેઆ ગુરુ જે કાંઈ કહે, તે ભગવાન શ્રી જિનેશ્વરએ કહેલું જ કહે, પણ એથી ઊલટું તે કહે જ નહિ. –આવા ગુરુ કઈ વાત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy