SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] સમ્યગદશન-૧ છે! એને એના કુલાચારને કે કુલના ગે થયેલી માન્યતાને અસદ્દ આગ્રહ હેય જ નહિ. ઓઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રામાં રહીને અભણ આત્માએ પણું તરી જાય ? આપણી વાત તે એ છે કે–જેટલા જન કહેવતા હોય, એટલા સમકિતી જ હોય, એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાને મિથ્યાત્વ કાઢવું અને સમ્યકત્વ પ્રગટાવવું, એ બહુ સુલભ છે, એમ જરૂર કહી શકાય, પરંતુ, એ પણ જે અસદ આગ્રહમાં પડી જાય અગર તે તત્તાતત્વને જાણવાની દરકાર જ ન કરે, તે સમ્યક્ત્વ પામે કયાંથી? જેમ વ્યવહારમાં જેટલા વાણિયા એટલા શાહ કહેવાય છે, પણ જેટલા શાહ કહેવાતા હોય તે બધા શાહુકારીને સાચવે જ-એમ મનાય નહિ. કેઈ શાહ વાંચીને ૫,૦૦૦ ધીરે, તે ધીરેલી રકમ ગુમાવી બેસે, એમ પણ બને ને ? જેટલા ને શેઠ લખાય, તેટલા શ્રેષ્ઠ જ હોય, એવું નથી ને? શેઠ તરીકે કઈ તમારે ઘેર આવી ચઢે, તે તમે શું કરે? આદર-સત્કાર કરે, જમાડે, બેસાડે, પણ એ ૫,૦૦૦ માગે તે શું કહે ? નામ–કામ વગેરે પૂછીને અને આને ધીરેલા જાય તેમ નથી–એવી ખાતરી કરીને, પછી જ ધીરવા હોય તે ધીરે ને? તેમ, શ્રાવક-શ્રાવિકા વ્યવહારથી ચેથેપાંચમે ગુણસ્થાનકે અને સાધુ-સાધ્વી વ્યવહારથી છ– સાતમે ગુણસ્થાનકે ગણાય, પણ હૈયામાં તે ગુણસ્થાનકના પરિણામ ન હોય અને મિથ્યાત્વ ઉદયમાં વર્તતું હોય, તે ચોથે પાંચમે અને છ–સાતમે ગણાવા માત્રથી વળે શું ? વ્યવહારથી તમે સમકિતી ગણાતા છે તે વાત જુદી છે, પણ આપણે તે આપણું અન્તઃકરણને તપાસવું પડશે ને કે આપણામાં સમ્યક્ત્વ પ્રગટ્યું છે કે નહિ? આપણે આ વાતને સમજીએ અને સાવચેત બની જઈએ, તે નરકનાં કારણે ઉપર અંકુશ મૂકી શકીએ. વિવેકીને નરકે લઈ જવાને કઈ સમર્થ નથી. વિવેકી બનવું હશે, તે જ્ઞાનીની નિશ્રાને સ્વીકારવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy