SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૩૭૮ શ્રી જિનેશ્વરદેવ આ સંસારને દુ:ખમય, દુ:ખફલક અને દુ:ખપરંપરક કહે છે: આપણને કેવો લાગે છે? શ્રી જિનેવરદેવ કહે છે કે-આ સંસાર દુઃખમય છે. આ સંસારમાં સુખ નથી પણ દુઃખ છે. સંસારનું સ્વરૂપ વર્ણવતાં શ્રી જિનેશ્વરએ સંસારને દુઃખમય કહ્યા, દુખફલક કહે અને દુઃખપરંપરક પણ કહ્યો. આથી સંસારમાં સુખ નથી પણ દુખ છે, સંસારનું ફળ પણ દુઃખ છે અને સંસારથી પરંપરાએ પણ દુઃખ છે, દુઃખની પરંપરા છે એ વાત સાચી અને શંકા વિનાની નક્કી થઈ ગઈ, કારણ કે–એ શ્રી જિનેશ્વરદેએ કહી છે. “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું ”—એમ ભારપૂર્વક બોલનારને સંસાર એ જ લાગ જોઈએ. તમને કદિ સંસાર દુઃખમય છે એમ લાગ્યું ? સંસાર દુઃખફલક છે એમ લાગ્યું? સંસાર દુખપરંપરક છે એમ લાગ્યું ! સભાએવું તે નથી લાગતું. ત્યારે શું લાગે છે? જ્યાં શ્રી જિનેશ્વરદેવ સુખ નથી એમ કહે છે, ત્યાં તમને સુખ લાગે, તે “શ્રી જિનેશ્વરદેએ કહ્યું તે જ સાચું અને નિઃશંક ” એ વાત ક્યાં રહી ? જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું, એમ હૃદયપૂર્વક મનાતું હોય, તે બંગલામાં પેસતાં, ભાણે બેસતાં, લાખ લેતાં, ક્યારેક પણ હૃદયમાં દુખ લાગે ખરું કે નહિ ? એમેય ન થાય કે-આ બધામાં મને સુખ કેમ લાગે છે? એ બધા દ્વારા પુણ્યના ઉદયવાળાને. પૌગલિક સુખ છે એની ના નહિ, પણ પદગલિક સુખ એ વાસ્તવિક સુખ નથી. પદગલિક સુખ પણ શ્રી જિનેશ્વરદેવના સેવકને વિચારણાના યોગે દુઃખરૂપ લાગવું જોઈએ. એ દુઃખરૂપ લાગે એટલે એમાંથી રસ ઊડે. એ રસ ઊડે એટલે એ બધામાં રહેવા છતાં, એ. ભેગવે તે પણ, એમાં લુખાશ આવે. એમ થાય કે–ભલે હું આ ભેગવું છું પણ સારું કરતો નથી, આનું પરિણામ દુઃખ છે અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy