SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સિમ્યગદશર્નને સુર્યોદય [૩૬૭ એ નિમિત્ત એ એવા આવેશયુક્ત બની ગયા કે-શ્રી અષ્ટાપદજી પર્વત ઉપર ધ્યાનમગ્ન બનેલા એક મુનિવરને એ ખલનાનું કારણ માનીને અને એ મુનિવર એ ખરેખર મુનિવર નથી પણ મારા શત્રુ એવા આ દંભી મુનિ છે–એમ માનીને, એમણે આખાય અષ્ટાપદ પર્વતને હચમચાવી મૂકનારો ઉપદ્રવ આદર્યો. એ પ્રસંગ માટે છે, પણ આપણે તે એ પછીને પ્રસંગ અહીં જેવો છે. રાવણ એમણે આરંભેલા ઉપદ્રવમાં નિષ્ફળ તે નીવડ્યા, પણ સાથે ભારે શિક્ષા પણ પામ્યા. એથી એમને આવેશમુક્ત બની જતાં વાર લાગી નહિ. મુનિવરની પાસે ક્ષમાયાચના કરીને અને મુનિવરને વન્દનાદિ કરીને રાવણ તરત જ શ્રી અષ્ટાપદગિરિ ઉપર શ્રી ભરત મહારાજાએ નિર્મિત કરેલા શ્રી જિનમંદિરમાં ગયા. " શ્રી જિનમંદિરમાં પેસીને રાવણે શ્રી ઋષભદેવ આદિ ચોવીસે ય ભગવન્તની અષ્ટપ્રકારી પૂજા કરી અને તે પછી તેમણે ભગવાનની સ્તવના આરંભી. રાવણ વિણુ વગાડે છે અને એમનું અંતઃપુર સપ્ત સ્વરથી મનરમ અને ગ્રામરાગથી રમ્ય એવું ભગવાનની સ્તવનાનું ગીત ગાય છે. આમ એકતાનતાથી મધુર સ્તવના ચાલી રહી છે ને એ જ વખતે ધરણેન્દ્ર જાતે જ ત્યાં વજનયાત્રા નિમિત્તે આવી પહોંચે છે. વિણવાદન પૂર્વક ગવાતાં એ ગીતનું શ્રવણ કરીને ધરણેન્દ્ર પણ મુગ્ધ બની જાય છે. વિચારે કે-કેવા પ્રકારે કરાતી હશે એ સ્તવના ? ધરણેન્દ્ર માગવાનું કહે છે : પણ ખરે પ્રસંગ તે હવે આવે છે. ધરણેન્દ્રના હૈયામાં રાવણની એ ભક્તિ જોઈને ભારે અનમેદનાને ભાવ પ્રગટે છે. ધરણેન્દ્રને એમ થઈ ગયું છે કે-આવા સાધર્મિકની અત્યારે ને અત્યારે જ હું કાંઈને કાંઈ ભક્તિ કરું !” પણ ધરણેન્દ્ર જાણે છે કે-આ રાવણ છે. ભગવાનની ભકિત ફલ તરીકે મેક્ષ સિવાયના કેઈ પણ ફલની અપેક્ષા આને હેય નહિ!” એટલે, ધરણેન્દ્રને રાવણ જે કાંઈ માગે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy