SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૬૫ બની ગયા વિના રહે નહિ. રાવણ જેવા રાવણ પણ જ્યારે ભગવાનની ભકિત કરતા, ત્યારે એમાં લીન બની જતા. ભગવાનની ભક્તિની એણની સામગ્રીય ઉત્તમ પ્રકારની હોય અને ભગવાની ભક્તિમાં એમની એકતાનતા ય ઉત્તમ પ્રકારની હોય, એમાં કાંઈ આશ્ચર્ય નથીરાવણ અવિરતિ હોવા છતાં પણ, ભગવાનની ભકિતની એમની. આવડત અને એમની એકતાનતા એવી હતી કે–દેવેન્દ્રને પણ એનું આકર્ષણ થયા વિના રહે નહિ. આમ તે એ એવા પ્રકારના કર્મોદયવાળા હતા કે એમનું જીવન વિષય અને કષાયના ભારે દબાણ નીચે હતું, પરંતુ એવી સ્થિતિમાં પણ ભગવાન પ્રત્યે એમને ભકિતભાવ એ હતો કે અવસરે એનું ભવ્યદર્શન થયા વિના પણ રહે નહિ. વિષય અને કષાયનું ખેંચાણ એવું જોરદાર કે–વિષયનું જે કઈ સાધન ગમી જાય, તે બળે કે કળે પણ એને પોતાનું કર્યા વિના એ જંપે નહિ. અને જે ખબર પડે કે- “અમુક માનવી મને નમતે. નથી” તો એ માનવીને નમાવવાને માટે એ ભારેમાં ભારે યુદ્ધ ખેલવાને પણ તૈયાર થઈ જાય; તેવા પ્રકારના કુટિલ કર્મોદયના ગે વિષયનું અને કષાયનું આધીનપણું આવું; પણ તે સાથે પશમને ચગ. પણ એ સુંદર કે–વસ્તુતઃ મેળવવા યોગ્ય એક મેક્ષ જ છે એવી મનમાં પૂરેપૂરી ખાતરી અને એથી પરમ શુદ્ધ એવા મોક્ષમાર્ગના પ્રકાશક ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતમાં એ બેસે ત્યારે એમાં લયલીન બની ગયા વિના રહે નહિ. રાવણનું મંદિર જોયું અને રામ ખુશ થઈ ગયા : તમને વિષયનું અને કષાયનું એવું જોરદાર આધીનપણું નથી, એમ કહું તે તે ચાલે ને? પણ અહીં તે આપણે ભગવાનની ભકિતની વાત કરવી છે. એટલે એટલું તે પૂછવું પડે કે- “ભગવાનની ભકિત કરતાં પણ તમને ખરેખર આવડે છે, એમ તમે કહી ઓ ? ભગવાનની ભકિતમાં એક્તાનતા તમે કેળવી શકડ્યા છો? ગાયનની સ્તવના બોલતાંય તમને આવડે છે? અને, તમારાં વિશે ઈરિયાવહી અને નથણું વગેરે સૂત્રો પણ સારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy