SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શનને સૂર્યોદય [ ૩૪૫ અથવા ઉપશમભાવ જે કહે તે એમ જ કહે કે- જીવે જીવવા લાયક તે સર્વથા પાપરહિત એવું એક સાધુજીવન જ છે.” આ ભાવ એ છવમાં પ્રગટ્યો હેય છે અને એથી એ જીવ જે જીવનમાં જેટલું પાપ, તેટલું તે જીવન ખરાબ.—એવું માને છે. એટલે, એ પોતાના પાપયુક્ત જીવનને પણ ખરાબ જીવન જ માને છે અને એવા જીવનથી છૂટવાનું અને પાપરહિત એવા સાધુજીવનને પામવાનું એને મન હોય છે. સમ્યગ્દર્શન પામવા માત્રથી વિરતિ પમાય નહિ ? તમે સમજી ગયા ને કે-સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓ સાધુજીવન જ જીવનારા હોય, એ નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાંની સાથે સાધુપણું આવી જ જાય, એ નિયમ નથી. “વિરતિ વિના વિસ્તાર નથી જ.”—એવી સમજ સમ્યગ્દષ્ટિ માં ન હોય એવું બને જ નહિ, પણ સમ્યગ્દષ્ટિ જીવ વિરતિવાળે જ હોય એવો નિયમ નથી. સાચું સર્વવિરતિ પણું અગર તે સાચું દેશવિરતિ પણું સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યા વિના આવતું નથી અને સમ્યગ્દર્શન ગુણ એના સ્વામી આત્માનું વિરતિ તરફ લક્ષ દર્યા વિના રહેતું નથી. આમ, છતાં પણ, સમ્યગ્દર્શન પામવા માત્રથી જીવ વિરતિને પામી શકતે નથી, એ પણ એક હકીકત છે, કારણ કે વિરતિને પામવાને માટે તે બીજા ક્ષપશમાદિની જરૂર પડે છે. દર્શનમોહનીયને ક્ષાપમાદિ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવે. અને ચારિત્રમેહનીય ક્ષયે પશમાદિ વિરતિગુણને પ્રગટાવે. દર્શનમેહનીયના ક્ષયે પશમા દિવાળી આત્માઓમાં બધા જ ચરિત્રમેહનીયન પણ ક્ષયપસમાદિવાળા જ હોય એવું બનતું નથી. દર્શનમેહનીયને ક્ષપશમાદિ થયેલ હોય અને ચારિત્રમેહનીયનો ભારે ઉદય વતંતેહેય, એવું પણ બને. એટલે, સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જેમ સર્વવિરત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy