SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા આદિને ત્યાગ કરવો જોઈએ? અનંત ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ અકલંક સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે : મ્ય પુણ્યના ઉદયથી ઉત્તમ સામગ્રીને પામેલે આત્મા દર્શન–જ્ઞાનના આવરણના પશમથી વિવેકને પામ્યા અને એ વિવેકને સુપ્રતાપે એ શ્રી જિનધર્મને ય પામે. પણ શ્રી જિનધર્મને પામ્યા પછી પણ એ આત્માએ એ પ્રાપ્તિને સુસ્થિર બનાવવાને માટે એવી સ્થિતિ અને એવી દશા તથા એવા સુંદર વાતાવરણમાં રહેવું જોઈએ, કે જેથી દર્શન મેહનીય કર્મ આત્મા ઉપર સત્તા ન મેળવી જાય, કારણ કે-શ્રી જિન ધર્મને પામીને પણ દર્શનમેહનીય કર્મના ઉદયથી થતી શંકા આદિથી કલુષિત મનવાળો થયેલે આત્મા ગુરુવચનને સહતે નથી જ.” આથી સમજી શકાશે-કે-દર્શન અને જ્ઞાનના આવરણને ક્ષપશમ થવાથી પ્રાપ્ત થયેલા વિવેકના પ્રતાપે સમ્યવરૂપ શ્રી જિનધર્મની પ્રાપ્તિ થયા પછીથી પણ એની રક્ષા માટે આત્મા જે સાવધ ન બને, તે તે “દર્શન મેહનીય ” કર્મને ઉઢયમાં સપડાઈ જાય છે, અને એથી એ આત્મા શંકાદિ દેશમાં ફરીને પરમતારક સદ્દગુરુના વચન ઉપરની જે શ્રદ્ધા, કે જે આત્માને સન્માર્ગમાં આણનાર, સ્થિર કરનાર, અને આગળ વધારનાર છે, તેનાથી પરવારી બેસે છે. આવા આત્માને પુનઃ અવિવેકી બનીને ધર્મહીન બનતાં વાર લાગતી નથી. આ જ કારણે ઉપકારીએ ફરમાવે છે કે-શુદ્ધ સમ્યક્ત્વના અથી એ શંકા-કાંક્ષા–વિચિકિત્સા–મિથ્યાદષ્ટિની પ્રશંસા અને મિથ્યાદષ્ટિએાનો પરિચય; આ પાંચ દોષે, કે જે સમ્યકત્વના અતિચારે છે, તેનાથી દૂર જ રહેવું જોઈએ. અને કદાચ તેમિથ્યાત્વ જ ઝ = Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy