SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] સમ્યગદશન-૧ મય જીવન પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ થવી, એ પણ શક્ય નથી. આમ છતાં પણ, પાપને તજવાને અસમર્થ એવા પણ, માણસે, મિથ્યાત્વ રૂપ પાપને તજવાનો પ્રયત્ન તે જરૂર કરવો જોઈએ. પાપનું સેવન–એ જુદી વસ્તુ છે અને પાપની વ્યામૂઢતા–એ જુદી વસ્તુ છે. પાપનું આચરણ પણ પાપની વ્યામૂઢતાના યેગે જ, બહુ ભયંકર ફલને આપનારું નીવડે છે અને પાપની વ્યામૂઢતા મિથ્યાત્વના. યેગે થાય છે. આથી, તમે આજે પાપને સર્વથા ત્યાગ કરવાને માટે અસમર્થ હો, તે પણ મિથ્યાત્વને તજવાને તે તમારે ખૂબ ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેરવાળા સાપની. સાથે રમવા જેવું; અને મિથ્યાત્વની ગેરહાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેર જેનું નિવાઈ ગયું છે એવા સાપની સાથે રમવા જેવું છે. આ બે વચ્ચે ભેદ સમજાય છે ? હિંસાદિ પાપ ખરાબ છે, દુઃખનાં દેનારાં છે, તજવા જેવાં જ છે અને એને તન્યા વિના સંપૂર્ણ કલ્યાણ થવાનું નથી, પરંતુ મિથ્યાત્વ તે એવું પાપ છે કે–એ પાપને પાપ તરીકે ઓળખવા દે નહિ. પાપમાં સુખ છે, એવી કલ્પનાને પેદા. કરવાની તાકાત મિથ્યાત્વમાં છે. હિંસાદિક દોષે અધર્મ કરાવે, પણ અધર્મ કરવા લાયક છે એવું તે મિથ્યાત્વ જ મનાવે. જેનું મિથ્યાત્વ જોરદાર હોય, તેને ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવ મળે, શાસ્ત્રોનું જ્ઞાન મળે, છતાં પણ. એનું સાચું ફળ એને મળે નહિ. જેમનું મિથ્યાત્વ રૂ૫ પાપ જવા પામે છે અને એથી જેમનામાં સમ્યકત્વ રૂપ ગુણ પ્રગટે છે, એવા આત્માઓ કદાચ હિંસાદિ પાપના ત્યાગી ન પણ હોય, તે પણ તે આત્માઓ અર્ધ પુદગલપરાવર્ત કાલથી પણ ઓછા કાળમાં મુક્તિને અવશ્ય પામે છે. એકવાર મિથ્યાત્વ ગયું ને સમ્યક્ત્વ પ્રગટ્યું, પછી કદાચ ફરી મિથ્યાત્વને ઉદય થઈ જાય, તે પણ, એ આત્મા અર્ધ પુદગલપરાવર્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy