SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ જ આપી શકતી જ રીતે, મિલને જીરે સમ્યગૂદનને સૂર્યોદય [૩૨૮ નથી; પણ આ મિથ્યાત્વ નામના મહાપાપને ત્યાગ તે માત્ર ભવ્યાત્માએ જ કરી શકે છે. એટલે, નથી તે અભવ્ય મિથ્યાત્વ નામના. પાપને તજી શક્તા અને નથી તે દુર્ભ મિથ્યાત્વ નામના પાપને તજી શકતા; માત્ર ભવ્યાત્માઓ જ મિથ્યાત્વ નામના પાપને તજીને સમ્યગ્દર્શન રૂપ ધર્મને પામી શકે છે. મિથ્યાત્વ જેમ મૂઢતાને પિદા કરનારું છે, તેમ સમ્યકત એ ધર્મના રસને પેદા કરનારું છે. સમ્યકૃતની હાજરીમાં દોષ પણ તેવા ફેલને આપી શકતા નથી, કે જેવા ફલને દોષે મિથ્યાત્વની હાજરીમાં આપી શકે છે. એવી જ રીતે, મિથ્યાવની હાજરીમાં ગુણે પણ તેવા ફલને આપી શકતા નથી, કે જેવા ફલને ગુણે સમ્યક્ત્વની હાજરીમાં આપી શકે છે. અભવ્ય અને દુર્ભાગ્યે જ્યારે ઘર સંયમનું પાલન કરે છે અને ઘેર તપને તપે છે, તે વખતે જે તેમનામાં મિથ્યાત્વની હાજરી ન હોય અને સમ્યકત્વની હાજરી હોય, તે એ સંયમ અને એ તપ, એમને મુક્તિ આપ્યા વિના રહે નહિ, પરંતુ એક માત્ર મિથ્યાત્વની હાજરી, એમને એ સંયમના પાલનના અને એ તપના સેવનના વાસ્તવિક ફલથી વંચિત રાખે છે. એવી રીતે, સમ્યકત્વની હાજરી હોય એવા વખતે અવિરતિના ગે સેવાતાં મહાપાપ પણ, આત્માને દુર્ગતિમાં ઘસડી જવાને માટે સમર્થ બની શકતાં જ નથી અને સમ્યગ્દષ્ટિ આત્મા જે કાંઈ થડા કે વધુ પ્રમાણમાં ધર્મને આચરે છે, તે ધર્મ તેના મેક્ષમાં કારણભૂત બને છે. જે આ વાત બરાબર ખ્યાલમાં આવી જાય, તે મિથ્યાત્વને તજવાને અને સમ્યક્ત્વને પ્રગટાવવાનો પ્રયત્ન કરવાનું મન થયા વિના રહે નહિ. મુખ્યત્વે મિથ્યાત્વ જ આત્માને સંસારમાં રખડાવે છે : મિથ્યાત્વ સિવાયનાં પાપને તજવાને પ્રયત્ન પણ અવશ્ય કરવા યિોગ્ય છે. પાપ માત્રને સર્વથા ત્યાગ કર્યા વિના, સાચા ધર્મમય જીવનને પામી શકાય-એ શક્ય નથી, અને જ્યાં સુધી એકાતે ધર્મ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy