SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ], સમ્યગુદર્શન-૧ સમ્યક્ત્વના સંપાદન માટે પણ પ્રશમ આદિ આ પાંચ ગુણેને વિષે સારી રીતે યત્નશીલ બનવું જોઈએ. - મિથ્યાત્વની હાજરીમાં ગુણે અને સમ્યકત્વની - હાજરીમાં દેષે કેવા ફળને આપી શકે છે ? બધા દોષમાં રસ ઉત્પન્ન કરનાર કઈ મહાદોષ હોય, તે તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, એ એક એવે દોષ છે કે–બીજા દોષોને એ જોરદાર બનાવી દે. એ એક મન્દ પડે, તે બીજા દોષે સ્વાભાવિક રીતે મન્દ પડે. આથી જ, જ્ઞાનીઓએ મિથ્યાત્વને સઘળાંય પાપોને બાપ તરીકે ઓળખાવેલ છે. સત્તરેય પાપસ્થાન કે, મુખ્યત્વે, એ અઢારમા પાપસ્થાનકને આધારે જીવે છે. જે એ એક મહાપા૫ ખસી જાય, તે તે પછી સત્તરમાંથી એક પણ પાપ લાંબા કાળને માટે જીવી શકતું નથી. આજે મિથ્યાત્વના સંબંધમાં જૈન સમાજમાં પણ કેટલી બધી બેદરકારી આવી ગયેલી જણાય છે? જેના આધાર વિના કોઈ પણ પાપ લાંબા કાળને માટે જીવી શકતું નથી અને જે મહાપાપ સાથે હોય તે જ ઉત્કટ હિંસાદિ દોષે પણ અશુભ અનુબંધના હેતુ બની શકે છે, કારણ કે-મિથ્યાત્વ ન હોય તે દોષની વ્યામૂઢતા સંભવી શકતી નથી અને દષની વ્યામૂઢતા વિના દેશે બહુ નુકસાન કરી શકતા નથી, તે મિથ્યાત્વ એ એક એવું મહાપાપ છે કે–એને તજ્યા વિના તે, વસ્તુતઃ એક પણ દોષને તજી શકાતું નથી. મિથ્યાત્વ, એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે. હિંસાદિક પાપથી તે, અભવ્ય અને દુર્ભ પણ ઘણે અંશે પાછા હઠી શકે છે. અભવ્યને માટે અને દુર્ભને માટે, દ્રવ્ય ચારિત્રને નિષેધ નથી કર્યો. એ કાઈ અશક્ય નથી કે–અભવ્ય અને દુર્ભ સર્વવિરતિની દીક્ષાને ગ્રહણ કરે અને તેનું પાલન પણ એવી રીતે કરે કે-બીજાઓને કદાચ એમ પણ લાગે કે–આ લોક ગજબનું સંયમપાલન કરે છે. ઘેર સંયમ અને ઘેર તપ, એ અભવ્ય અને દુર્ભને માટે, અશક્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy