SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩ર૭ વચનમાં અતથ્યને અંશમાત્રેય નથી, એવું પણ વચન અને બુદ્ધિગમ્ય બનતું નથી, તો તેનું કારણ શું? એ ખામી મારા ક્ષપશમની અને મને પ્રાપ્ત થયેલી સામગ્રીની!” બસ, આવો વિચાર જે કરવામાં આવે, તે ઉત્પન્ન થયેલી શંકા ટળી જવાની સાથે, એ શંકા પેદા થવા. બદલ પણ પશ્ચાત્તાપ થાય. પ્રશમદિને વિષે યત્નશીલ રહેવું ? આ રીતે તમને સમ્યકત્વનાં જે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્યા અને આરિતક્ય–એ પાંચ લક્ષણે છે, તેના સ્વરૂપ સંબંધી કાંઈક ખ્યાલ આપવામાં આવ્યું. સમ્યક્ત્વને પામીને પણ, તેને ત્વરાથી પરમ ફળદાયી બનાવવા માટે, સમ્યકત્વને પામેલા જીવોએ, સૌથી પહેલાં તે ઉપશમાદિના ભાવના વિકાસમાં તત્પર બની જવું જોઈએ. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા અને આસ્તિક્ય–એના ભાવમાં રમણ કરવું અને એ ભાવેને અનુસરતાં આચરણેમાં તત્પર બનવું, એ આત્માને મુક્તિસુખની વધુ ને વધુ નિકટમાં લઈ જવાનો ઉપાય છે. એના દ્વારા એ જીવ સહેલાઈથી રત્નત્રયીને સ્વામી બની શકે છે, કે જે રત્નત્રયીને શાશ્વત સ્થાનને પામવાના ઉપાય તરીકે અનન્તજ્ઞાની એવા અનન્તઉપકારીઓએ ફરમાવેલ છે. સમ્યક્ત્વ હોવા છતાં પણ, કેઈ જીવમાં પ્રશમાદિ લિંગ ન જણાય એવું પણ બની શકે; પરન્તુ સમ્યકત્વને પામેલા જીએ તે, પિતાના સમ્યકત્વના રક્ષણાદિને માટે તથા તેના દ્વારા ધર્મના ઉત્કટ ઉત્કટ કેટિના પરિણામને પામવાને માટે, સમ્યકત્વનાં જે પ્રમાદિ પાંચ લિંગે છે, તે લિંગોને વિષે યત્નશીલ બન્યા રહેવું જોઈએ. આ પાંચ લિંગ તરફ દુર્લક્ષ્ય સેવવાથી સમ્યફવનું વમન થવા પામે અને મિથ્યાત્વને ઉદય થઈ જવા પામે–એ પણ ખૂબ જ સંભવિત છે. સમ્યક્ત્વના અર્થીઓએ, મિથ્યાત્વને તજવાને માટે મિથ્યાત્વના સ્વરૂપને પણ બરાબર જાણી લેવું જોઈએ; અને મિથ્યાત્વના વમન માટે તથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy